નવી દિલ્હી: જ્વેલરી બ્રાન્ડ તનિષ્કે (Tanishq) સોશિયલ મીડિયામાં લોકોનો ભારે રોષ અને ટ્રોલ થયા બાદ પોતાની Inter-faith family જાહેરાતને મંગળવારે હટાવવાનો નિર્ણય લેતા યુટ્યૂબ ઉપરથી પણ હટાવી દીધી. ટ્વિટર સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હજુ પણ તે જાહેરાતને લઈને વિવાદ ચાલુ છે. જ્યાં કેટલાક લોકો કંપનીની જાહેરાતને લવ જેહાદ અને નકલી ધર્મનિરપેક્ષતાને પ્રોત્સાહન આપતી ગણાવે છે ત્યાં હવે ગીતકાર જાવેદ અખ્તરે (Javed Akhtar) આ જાહેરાતને લઈને એવી વાત કરી કે સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંગના રનૌતે મહારાષ્ટ્ર સરકારને ગણાવી 'ગુંડા સરકાર', કહ્યું- સોનિયા સેના, બાબર સેનાથી પણ ખરાબ


વાત જાણે એમ છે કે એક યૂઝરે આ જાહેરાતની એક તસવીરને શેર કરતા ટ્વીટ કરી કે આ તનિષ્કની જાહેરાત: જ્યારે તમે એક ઈમાનદાર વાતચીત કરવાનો ઈન્કાર કરો છો, તો એક એવી પ્રતિક્રિયા તમને મળે છે કે જે ખુબ આશ્ચર્યજનક હોઈ શકે છે. માત્ર નારાજગીથી કોઈ મદદ મળવાની નથી, સંરચનાત્મક મુદ્દાને પ્રાપ્ત કરવા માટે અને તેના ઉકેલ માટે પ્રયત્ન થવો જોઈએ. 


આ ટ્વીટના જવાબમાં જાવેદ અખ્તરે લખ્યું છે કે "ફિલ્મ હોય, જાહેરાત કે વાસ્તવિક જીવન..બધી જગ્યાએ એક ઈન્ટર રિલિજિયસ લગ્ન હંમેશાથી કેટલાક લોકોને પરેશાન કરે છે. જેમાં હંમેશા છોકરી પક્ષનો આક્રોશ સામે આવે છે અથવા તો તે સંબંધિત હોય છે. આ આક્રોશ એ વિશ્વાસ પર આધારિત છે કે મહિલાઓ પોતાની સંપત્તિ જેવી છે. નારાજ લોકો દુલ્હા અને તેના પરિવારને કોઈ ગામના પશુચોર  તરીકે જુએ છે."


સુશાંત મૃત્યુના ગણતરીના કલાકો પહેલા 13મી જૂને મળ્યો હતો રિયાને? ચોંકાવનારી વાત સામે આવી


આ ટ્વીટ બાદ જાવેદ અખ્તર સતત લોકોની નારાજગીનો ભોગ બની રહ્યા છે. લોકો તેમને લવ જેહાદ અને મુસ્લિમ સંવેદનાઓ અંગે વાત કરી રહ્યા છે. લોકો તેમને આ મામલે ચૂપ રહેવાની પણ સલાહ  આપી રહ્યા છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube