નવી દિલ્હીઃ પોતાની ફિલ્મો સિવાય પોતાના આક્રમક નિવેદન માટે જાણીતી અભિનેત્રી કંગના રનોત સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી નેપોટિઝમ અને બોલીવુડમાં જૂથવાદ પર પોતાનો મત રાખી રહી છે. કંગના રનોત સતત કરણ જોહર અને મહેશ ભટ્ટ જેવા ફિલ્મમેકર્સ પર હુમલો કરી રહી છે. એકવાર ફરી તેણે કરણ જોહરની ટીકા કરી છે અને ભારત સરકાર પાસે માગ કરી છે કે તે કરણ જોહરનો પદ્મ શ્રી પરત લે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંગનાના ટ્વીટર એકાઉન્ટ પર કરણ જોહર વિરુદ્ધ ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં તેના પર સુશાંત સિંહ રાજપૂતના કરિયરને બરબાદ કરવાનું, ઉરી હુમલાના સમયે પાકિસ્તાનને સમર્થન કરવા અને સેના વિરુદ્ધ ફિલ્મ બનાવવાનો આરોપ લગાવ્યો છે. ટ્વીટમાં કંગનાની ટીમે લખ્યું, 'હું ભારત સરકારને આગ્રહ કરુ છું કે કરણ જોહરનો પદ્મ શ્રી પરત લેવામાં આવે. તેમણે મને જાહેરમાં ધમકાવી અને એક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ કહ્યું કે, હું ઈન્ડસ્ટ્રી છોડી દઉં. તેણે સુશાંતનું કરિયર બરબાદ કર્યું, ઉરી હુમલાના સમયે પાકિસ્તાનનું સમર્થન કર્યું અને હવે સેના વિરુદ્ધ એક એન્ટીનેશનલ ફિલ્મ બનાવી છે.'


Sushant Suicide Case: Rhea Chakrabortyનું નિવેદન આવ્યું સામે, આરોપો પર તોડ્યું મૌન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર