Kangana Ranaut: બોલીવુડમાં ક્વીન તરીકે ફેમસ કંગના રનૌત હવે રાજકારણમાં પગ મૂકી ચુકી છે. બોલીવુડમાં વર્ષ 2006 માં અનુરાગ બાસુની ફિલ્મ ગેંગસ્ટરથી તેણે શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં કંગનાએ ઘણી બધી હિટ ફિલ્મો આપી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી તે સતત ફ્લોપ ફિલ્મો આપી રહી છે. આ સિવાય છેલ્લા ઘણા સમયથી કંગના સતત વિવાદોમાં પણ રહે છે. તેવામાં તેણે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં મોટો ધડાકો કરી દીધો છે. કંગના રનૌતે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન એવું કહ્યું કે તે ક્યારેય શાહરુખ ખાન, સલમાન ખાન કે આમિર ખાન સાથે કામ નહીં કરે. આ નિર્ણય પાછળ કયું કારણ જવાબદાર છે તે પણ જણાવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: પતિની 3 શરતોને કારણે 7 વર્ષથી ટીવીથી દૂર 'દયાબેન', રિયલ લાઈફમાં પણ સુપરસ્ટાર છે દિશા


કંગના રનૌતે હાલમાં એક પોડકાસ્ટ દરમ્યાન પોતાની ફિલ્મ ઇમરજન્સીનો પ્રચાર કરતી વખતે આ વાત કરી હતી. તેણે જણાવ્યું કે બોલીવુડના ત્રણ ખાન સિવાય તે રણબીર કપૂર સાથે પણ ક્યારેય કામ નહીં કરે. આ નિર્ણય પાછળ કારણ જણાવતાં તેને કહ્યું કે આ ચાર કલાકારોની ફિલ્મોમાં હિરોઈનની ભૂમિકા માત્ર કેટલાક સીન અને ગીત પૂરતી જ મર્યાદિત હોય છે. તેથી તે ક્યારેય તેમની ફિલ્મોનો ભાગ બનતી નથી. 


આ પણ વાંચો: પ્રિયંકા-નિકનું લિપલોક જોઈ ચાહકોને આવી શરમ, દેશી ગર્લનો ચુમ્મા ચાટીનો Video વાયરલ


કંગનાએ કહ્યું હતું કે, આ ચાર કલાકારોની ફિલ્મોમાં કામ કરવાનો તે ઇન્કાર એટલા માટે કરે છે કે તેમની ફિલ્મો પ્રોટોટાઈપ હોય છે. તેમની ફિલ્મોમાં હિરોઈનને માત્ર બે-ત્રણ સીન અને એક બે ગીત આપવામાં આવે છે. અને તે ક્યારેય આવી ફિલ્મોમાં કામ કરવા નથી માંગતી. તે ફિલ્મોમાં એક ઉદાહરણ બનવા માંગે છે. તે એવી અભિનેત્રી છે જેણે ત્રણેય ખાન સાથે કામ કરવાનો ઇનકાર કર્યો છે. 


આ પણ વાંચો: હવે 'સોઢી' એ આપ્યો ઓનસ્ક્રીન પત્ની જેનીફરનો સાથ, તારક મેહતા શોના મેકર્સની ખોલી પોલ


કંગનાએ એવું પણ ઉમેર્યું કે તે એવી અભિનેત્રીઓ માટે બેસ્ટ કામ કરવા માંગે છે જે તેના પછી આવશે. તે ઉદાહરણ બનાવવા માંગે છે કે કોઈ ખાન તમને સફળ બનાવી શકતો નથી કે કોઈ કપૂર તમને સફળ નહીં બનાવે. તેણે છેલ્લે એવું પણ કહ્યું કે તેણે રણવીર કપૂરની ફિલ્મને પણ રિજેક્ટ કરી દીધી હતી.