મુંબઈઃ શિવસેના નેતાઓની ધમકી વચ્ચે અભિનેત્રી કંગના રનોત બુધવારે Y પ્લસ સુરક્ષામાં આજે બપોરે 2 કલાકે મુંબઈ પહોંચી રહી છે. તે મોહાલી એરપોર્ટ પર પહોંચી ચુકી છે. મુંબઈ પહોંચતા બીએમસી તેને ક્વોરેન્ટીન કરી શકે છે. આ વચ્ચે બીએમસીએ કંગનાની ઓફિસની બહાર નોટિસ લગાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીએમસીની એક ટીમે કંગનાની ઓફિસમાં તોડફોડની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કંગનાના મુંબઈ વાળા ઘરની બહાર મુંબઈ પોલીસ પણ તૈનાત છે. તો સીઆરપીએફની એક ટીમ પણ કંગનાના ઘર પર હાજર છે. જડબેસલાક સુરક્ષાવ્યવસ્થા કરી દેવામાં આવી છે. 


મુંબઇ પહોંચતા પહેલા જ કંગનાએ ફોડ્યો 'ટ્વીટ બોમ્બ', જાણો શું કહ્યું?

આ વચ્ચે કંગનાએ ટ્વીટ કરીને બીએમસી કર્મીઓની તુલના બાબરની સેના સાથે કરી અને કહ્યું કે, આ મંદિર ફરીથી બનશે. હું ક્યારેય ખોટી નહતી અને મારા દુશ્મન વારંવાર સાબિત કરી રહ્યાં છે કે મારૂ મુંબઈ હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) થઈ ગયું છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube