નવી દિલ્હીઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી કંગના રનોત (Kangana Ranaut)એ ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar) પર મૂવી માફિયાના મુખ્ય દોષી હોવાનો જાહેરમાં આરોપ લગાવ્યો છે. તેણે પોતાના ટ્વીટર હેન્ડલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓફિસને ટેગ કરતા કહ્યું, 'કરણ જોહર મૂવી માફિયાનો મુખ્ય દોષી છે, ત્યાં સુધી કે ઘણા લોકોની જિંદગી બરબાદ કર્યા બાદ તે આઝાદીથી ફરી રહ્યો છે. તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. શું અહીં અમારા જેવા લોકો માટે કોઈ આશા છે? બધા ઉકેલ બાદ તે અને તેની ગેંગ મારી તરફ આવી જશે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


બોલીવુડમાં નેપોટિઝમ પર સતત કરી રહી છે ટ્વીટ
મહત્વનું છે કે, દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ કંગના રનોતે બોલીવુડમાં નેપોટિઝમનો વિવાદ છેડ્યો છે. જ્યાં તેણે આરોપ લગાવ્યો છે કે બોલીવુડમાં માત્ર સ્ટાર કિડ્સને પ્રોત્સાહન મળે છે. તે સતત બોલીવુડમાં નેપોટિઝમ અને જૂથવાદને લઈને પોતાની વાત શેર કરે છે. તે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી ઘણા લોકોને અડફેટે લઈ ચુકી છે. પરંતુ આટલા વિવાદ બાદ પણ કંગનાના ટ્વીટર ફોલોઅર્સ દિવસેને દિવસે ઓછા થઈ રહ્યાં છે. આ વાતનો ખુલાસો કંગના રનોતે હાલમાં એક ટ્વીટ દ્વારા કર્યો હતો. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube