નવી દિલ્હીઃ બોલિવુડમાં નેપોટિઝમનો મુદ્દો પહેલેથી ચર્ચામાં રહ્યો છે, ગત વર્ષે સુશાંતના આપઘાત બાદ દેશભરમાં સ્ટાર સંતાનો સામે એક મોટા વર્ગે વિરોધ દર્શાવ્યો. ફિલ્મી કલાકારોના સમર્થન અને વિરોધમાં બે ભાગ પડી ગયા...સ્ટારકિડના કારણે ઈન્ડસ્ટ્રી બહારથી આવેલા અને સંઘર્ષ કરતા કલાકારને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કદર નથી મળતી. તેવામાં હાલ જ્યારે નેપોટિઝમનો મુદ્દો શાંત પડયો છે હવે ઋષિ કપૂરની પુત્રીએ સ્ટાર કિડ મુદ્દે નિવેદન આપી નેપોટિઝમના મુદ્દાને ફરી હવા આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઋષિ કપૂર (RISHI KAPOOR) અને નીતુ કપૂર (NEETU KAPPOR) ની પુત્રી રિદ્ધિમા કપૂરે શાંત પડેલા નેપોટિઝમના મુદ્દાને ફરી હવા આપી. રિદ્ધિમા કપૂરે રણબીર કપૂર અને કરીના કપૂરનો બચાવ કરી મોટી વાત કરી દીધી છે.


ગત વર્ષે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આપઘાત બાદ નેપોટિઝમના મુદ્દાએ ખૂબ જ હવા પકડી. સોશિયલ મીડિયામાં દરરોજ સ્ટારકિડ્સને બોયકોટ કરવાનું ટ્રેન્ડમાં રહેતું. ઘણા લોકો બોયકોટ કરવાના સમર્થનમાં હતા તો ઘણા લોકોએ સ્ટારકિડ્સને સમર્થન આપ્યું. હવે આ વિવાદમાં સૌથી જૂના કપૂર પરિવારની દીકરીએ ઝંપલાવ્યુ છે. ઋષિ કપૂર અને નીતુ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂરે ખુલીને નેપોટિઝમ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.


Manoj Bajpai ની The Family Man 2 નું દમદાર ટ્રેલર થયું રિલીઝ, જોવા મળશે સુપર એક્ટીંગ


ભાઈ રણબીર કપૂર અને કરીના કપૂરનો લીધો પક્ષ
રિદ્ધિમા કપૂરે હાલમાં જાણીતા મીડિયા હાઉસને ઈન્ટરવ્યૂ આપ્યો જેમાં નેપોટિઝમ મુદ્દે મોડે મોડે પ્રતિક્રિયા આપી... રિદ્ધિમા કપૂરના નિવેદને પાછી ચર્ચા જગાડી છે. રિદ્ધિમા કપૂરે તેના ભાઈ રણબીર અને કરીનાનો પક્ષ લીધો અને નેપોટિઝમ પર ઉઠતા સવાલ પર નારાજગી દર્શાવી છે.


રિદ્ધિમાએ આપ્યું નેપોટિઝમ મુદ્દે નિવેદન
રિદ્ધિમાએ કહ્યું- 'રણબીર અને કરીશમા-કરીના ભલે સ્ટારકિડ્સ રહ્યા હોય પરંતું આ ત્રણેય લોકોએ પોતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યું. આ કલાકારોએ દિવસ-રાત જોયા વિના મહેનત કરી અને ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં નામ હાંસલ કર્યું. રણબીર અને કરીશમા-કરીનાએ દર્શકોના દિલ જીત્યા છે. વ્યક્તિનું કામ જ તેને સફળ-નિષ્ફળ બનાવે છે, મોટા ભાગે એવું જોવા મળે છે કે જો કોઈ સ્ટાર કિડ્સ એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવે તો તેને સ્ટારકિડ્સ કહી ટ્રોલ કરવામાં આવે છે'


બેકલેસ બ્લાઉઝ પહેરીને ખેતરમાં દોડી આ યુવતી... અદાઓથી લૂંટી મહેફિલ 


રિદ્ધિમા કપૂરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નથી બનાવ્યું કરિયર
રિદ્ધિમા કપૂરની કારકિર્દીની વાત કરીએ તો તેને બોલિવુડથી અલગ રહીને જ પોતાની કારકિર્દી બનાવી છે. રિદ્ધિમા કપૂર ભારતની જાણીતી જ્વેલરી ડિઝાઈનર છે, રિદ્ધિમાએ વર્ષ 2006માં પોતાના બાળપણના મિત્ર ભરત સાહની સાથે લગ્ન કર્યા હતા. રિદ્ધિમા કપૂરે ભલે ફિલ્મોમાં કારકિર્દી ન બનાવી હોય પરંતું તેની સુંદરતા અને ફિટનેસના કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube