મુંબઈ : બોલિવૂડ સ્ટાર પ્રદીપકુમારનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 4 જાન્યુઆરી, 1925ના દિવસે થયો હતો. ટીવી એક્ટ્રેસ બીના તેમના દીકરી છે. પ્રદીપકુમારનું મૃત્યુ તો 2001માં થઈ ગયું છે પણ તેમના જીવનનો રસપ્રદ કિસ્સો આજે પણ ચર્ચા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી પ્રમાણે બોલિવૂડની ટોચની એક્ટ્રેસ મધુબાલા લગ્ન કરીને ઠરીઠામ થવા માગતી હતી ત્યારે ની જિંદગીમાં ભારત ભૂષણ, પ્રદીપકુમાર અને કિશોરકુમારની એન્ટ્રી થઈ. ત્રણે અલગ અલગ મિજાજના હતા. મધુ હવે પોતાના જીવનને એક નક્કર આધાર આપવા ઇચ્છતી હતી. એ લગ્ન કરીને સાચા અર્થમાં ઠરીઠામ થવા આતુર હતી. એણે કેટલાક નિકટના લોકોની આ અંગે સલાહ પણ લીધી. 


[[{"fid":"197864","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ભારત ભૂષણ શ્રીમંત હતા અને વિધૂર હતા. પ્રદીપકુમાર અને કિશોરકુમાર બન્ને પરણેલા હતા. પ્રદીપકુમારનું તો એ સમયે માલા સિંહા સાથે અફેર પણ ચાલતું હતું. માલાનું ઠીક ઠીક હદ સુધી એમની પર પ્રભુત્વ પણ હતું. બધાએ કહ્યું કે ભારત ભૂષણ સાથે એની જિંદગી સુરક્ષિત રહેશે, પરંતુ ઉદાસ મધુને અંદરથી કિશોરકુમારનો સાથ વધુ ગમતો હતો. આખરે મધુબાલાએ લગ્ન માટે કિશોરકુમારની પસંદગી કરી હતી. જોકે પ્રદીપકુમાર ગમે તે ભોગે મધુબાલા સાથે લગ્ન કરવા માગતા હતા પણ એ શક્ય બન્યું નહોતું. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....