મુંબઈ : સલમાન ખાન બને ત્યાં સુધી પોતાની ફિલ્મો ઇદના દિવસે રિલીઝ કરીને ચાહકો માટે ઈદના તહેવારને ખાસ બનાવી દે છે. આ વર્ષે સલમાનની બહુ ગાજેલી ફિલ્મ 'ભારત' ઈદ વખતે જ રિલીઝ થવાની છે. આ વર્ષે સલમાને તેના ચાહકોને ખાસ ઈદી આપવાનો નિર્ણય લીધો છે. દીધો છે અને તે ઈદ પર ફેન્સને પોતાની ફિલ્મ રિલીઝ કરીને ખુશ કરી દે છે ત્યારે સલમાને આ વખતે બધાને ઈદી આપવાનું વિચાર્યું છે. સલમાનની ફિલ્મ ભારતની ટિકિટનો રેટ સામાન્ય રાખવામાં આવશે, આ ફિલ્મની ટિકિટ પર કંઈ વધારો કરવામાં આવશે નહીં. મેકર્સને આશા છે કે આ નિર્ણયને પગલે મોટી સંખ્યામાં ચાહકો ફિલ્મ જોવા ઉમટી પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે ફેસ્ટિવલ પર સુપરસ્ટાર્સ પોતાની ફિલ્મની ટિકિટનો ભાવ 30-40 ટકા સુધી વધારે છે, પરંતુ 'ભારત'ના મેકર્સે નિર્ણય લીધો છે કે 'ભારત' ફિલ્મની ટિકિટોની કિંમત સામાન્ય રહેશે, જેથી ઈદના તહેવાર પર સલમાનના ફેન્સને ફિલ્મ જોવાની ગિફ્ટ મળે. 'ભારત' ફિલ્મની ટિકિટની કિંમત કલંક, ઝિરો, અને ઠગ્સ ઓફ હિન્દુસ્તાનથી પણ ઓછી હશે.


'કરણ નક્કી કરે છે કે નવોદિત કોની સાથે સુઇ જશે...' : ચોંકાવનારો આરોપ


સલમાનની 'ભારત' 5 જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તબ્બુ, દિશા પટણી, સુનિલ ગ્રોવર અને જેકી જેવા કલાકારો મુખ્ય ભૂમિકા અદા કરશે. અલી અબ્બાસે આ ફિલ્મ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ બાદ સલમાનની નવી ફિલ્મ ‘દબંગ-3’ આવી રહી છે. જેનું શુટિંગ મધ્ય પ્રદેશના એક ભાગમાં કરવમાં આવ્યું હતું. આ પછી તે સંજય લીલા ભણસાલીની 'ઇન્શાંલ્લાહ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે પહેલીવાર આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. ભારત બાદ હવે સલમાને પોતાની આગામી ફિલ્મ 'દબંગ-3'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. કેટરીના પણ રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય કુમાર સાથે કામ કરતી જોવા મળશે.


જૂઓ LIVE TV....


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...