નવી દિલ્હીઃ નાગિન નાના પડદાની સૌથી લોકપ્રિય ધારાવાહિકોમાં સામેલ છે. તેની પાંચ સીઝન આવી ચુકી છે અને દરેક સીઝનને દર્શકોએ ખુબ પસંદ કરી છે. નાગિનની કહાની અને પાત્ર ભલે આલોચનાઓનો શિકાર રહ્યાં હોય, પરંતુ તેની લોકપ્રિયતામાં કમી ન આવી અને હવે ધારાવાહિકની છઠ્ઠી સીઝન નાગિન 6 આવી રહી છે. કલર્સ ટીવીએ તેનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાગિનની નિર્માતા એકતા કપૂર છે. ટીઝરથી જાણવા મળે છે કે નાગિન 6ની કહાની પેનડેમિકના સમયમાં સેટ કરવામાં આવી છે. ટીઝરમાં વોઇસઓવર આવે છે કે 2019માં બધુ બરાબર હતું, પરંતુ 2020માં દુનિયાને એક મહામારીએ ઝપેટમાં લઈ લીધી. તેની સાથે પૃથ્વીનું દ્રશ્ય આવે છે અને એક વિશાળકાય નાગિન ધીમે-ધીમે પૃથ્વીની ચારે તરફ લપેટાતી જાય છે. હવે મહામારી અને નાગિનનો શું સંબંધ છે, તેની માહિતી તો ટ્રેલર આવ્યા બાદ મળશે. પરંતુ ટીઝરે શોની ઉત્સુકતા વધારી દીધી છે. 


નાગિન 6ના પ્રસારણની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ રિપોર્ટ છે કે શો 30 જાન્યુઆરીથી ઓન એર થશે. સ્ટારકાસ્ટને લઈને હજુ સત્તાવાર રીતે ખુલાસો થયો નથી. પરંતુ સામે આવેલા અહેવાલ પ્રમાણે મહક ચહલ આ વખતે નાગિન બની શકે છે. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by ColorsTV (@colorstv)


આ સુપરનેચરલ ફેન્ટેશી શોની શરૂઆત 2015માં થઈ હતી. પ્રથમ સીઝનમાં મૌની રોય, અર્જુન બિજલાની અને અદા ખાન મુખ્ય પાત્રોમાં જોવા મળ્યા હતા. મૌની અને અદા ઇચ્છાધારી નાગિનોના રોલમાં હતી. પરંતુ આ શોની ખુબ આલોચના કરવામાં આવી હતી. પરંતુ નાગિનની પ્રથમ સીઝન હિટ રહી હતી. બીજી સીઝનમાં મૌની રોય અને અદા ખાનની વાપસી થઈ હતી. કરણવીર બોહરા પણ જોડાયો હતો. 


આ પણ વાંચોઃ ક્યારે રિલીઝ થશે આ વર્ષની ફાડૂ ફિલ્મો? મૂવીનો પ્લાન કરતા પહેલાં જાણી લો આ તારીખો


ત્રીજી સીઝનમાં સુરભિ જ્યોતિ અને અનીતા હસનંદાની નાગિન બની અને પર્લ વી પુરીની એન્ટ્રી થઈ. ચોથી સીઝનમાં નિયા શર્મા નાગિન બની પડદા પર આવી અને પાંચમી સીઝનમાં નાગિન બનવાની તક સુરક્ષિ ચંદનાને મળી હતી. આ સીઝનમાં શરદ મલ્હોત્રા પણ જોવા મળ્યો હતો. જૈસ્મીન ભસીન, રશ્મિ દેસાઈ, પવિત્રા પૂનિયા પણ શોમાં જોવા મળી ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube