નવી દિલ્હીઃ બેયર ગ્રિલ્સની સાથે ભારતના વડાવ્રધાન નરેન્દ્ર મોદીનો એડવેન્ચર શો ચર્ચામાં છે. વિશ્વભરની નજર મૈન વર્સેઝ વાઇલ્ડના સ્પેશિયલ શો પર છે. બેયર ગ્રિલ્સનો શો કોઈપણ માટે નવો નથી અને તે ઘણા સમયથી જોવાઇ રહ્યો છે. શોમાં મોદીને લઈને દર્શકો વચ્ચે ભારે ઉત્સુકતા છે. બોલીવુડ સેલિબ્રિટિના રિએક્શન પણ આવવાના શરૂ થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલીવુડના મિસ્ટર ખેલાડી અક્ષય કુમાર અને સુપરસ્ટાર અજય દેવગન સહિત ઘણા અભિનેતાઓએ શોને લઈને ઉત્સુકતા વ્યક્ત કરી છે. અક્ષય કુમારે કહ્યું, 'શો યૂનીક અને એડવેન્ચરથી ભરપૂર હોવા સિવાય શોમાં ક્લાઇમેટ ચેન્જને લઈને આ વિશે વાત હશે કે પૃથ્વીને કેમ બચાવવામાં આવે? મેન vs વાઇલ્ડના શો પર રાત્રે 9 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇને ઉત્સુક છું.'


અજય દેવગને શોને લઈને એક ટ્વીટમાં લખ્યું, 'આજ દિવસની માગ છે આ શો.'


વાંચો બોલીવુડના અન્ય સમાચાર