નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના નિધનના સમાચારથી બોલિવૂડ જગતના દિગ્ગજોથી લઈને રાજકીય નેતાઓ અને દેશના નાગરિકો સુદ્ધા આઘાતમાં જોવા મળી રહ્યાં છે. આજે મુંબઇમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જેના માટે તેમનો પરિવાર મુંબઇ પહોંચી ગયો છે. પરંતુ એવા સમાચાર છે કે સુશાંતના અંતિમ સંસ્કાર પહેલા એક ખાસ પૂજા કરવાની છે. 


સુશાંતની વાતોને કોઈ સમજી શક્યું નહીં? પોસ્ટમાં કર્યા હતા એવા શબ્દોનો ઉલ્લેખ....જે બન્યા આત્મહત્યાનું કારણ!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર અગાઉ એક ખાસ પૂજા કરવામાં આવશે. જેને પંચક પૂજા કહે છે. ગરૂડ પુરાણ મુજબ જો કોઈનું મૃત્યુ પંચકમાં થાય તો તો તેની સાથે આ આફત તેના પરિવારના પાંચ લોકો ઉપર પણ આવે છે. 


સુશાંતના પરિવારના નજીકના જ્યોતિષીએ પરિવારને જણાવ્યું કે સુશાંત સિંહનું મૃત્યુ પંચક વિચરમાં થયું છે. અષાઢ મહિનાના પંચકની શરૂઆત 11 જૂનથી થઈ છે. જે 16 જૂન સુધી રહેશે. પંચક પાંચ પ્રકારના હોય છે જેમાં રોગ પંચક, રાજ પંચક, અગ્નિ પંચક, મૃત્યુ પંચક, અને ચોર પંચક સામેલ છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube