નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે થોડા દિવસ પહેલા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ સમાચારથી ફેન્સ ખુબ દુખી થયા હતા. હજુ આ વાતને વધુ દિવસ થયા નથી ત્યાં આપઘાતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 16 વર્ષની સોશિયલ મીડિયા સ્ટાર સિયા કક્કડે આપઘાત કરી લીધો છે. સિયા સોશિયલ મીડિયા પર જાણીતી સેલિબ્રિટી હતી. આ ખબરથી તેના પ્રશંસકો પણ ચોંકી ગયા છે. પરંતુ હજુ આપઘાતનું કારણ સામે આવ્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી પ્રમાણે ગત રાત્રે એક ગીતને લઈને સિયાની વાત પોતાના મેનેજર અર્જુન સરીન સાથે થઈ હતી. સિયાના આપઘાતના સમાચાર સાંભળીને અર્જુન પણ ચોંકી ગયો છે. અર્જુને જણાવ્યુ કે, સિયા ઠીક હતી અને કોઈ રીતે પરેશાન નહતી. તેમને સમજાવુ નથી કે સિયાએ આ પગલું શું કામ ભર્યું છે. મહત્વનું છે કે સિયા ટિકટોકનો એક જાણીતો ચહેરો હતી. 


સુશાંતની છેલ્લી ફિલ્મ આ દિવસે થશે રિલીઝ, ફેન્સ ફ્રીમાં જોઈ શકશે 'Dil Bechara' 

શોકમાં ફેનસ
સિયાના આપઘાતના સમાચાર મળ્યા બાદ તેના પ્રશંસકો વચ્ચે હડકંપ મચી ગયો છે. દરેકના મનમાં માત્ર એક સવાલ ચાલી રહ્યો છે કે સિયાએ આખરે આત્મહત્યા કેમ કરી છે. બધા ઇન્સ્ટાગ્રામ પર તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યાં છે અને આ 16 વર્ષીય રાઇઝિંગ સ્ટારના ચાલ્યા જવાથી દુખી પણ છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube