ઝી મીડિયા/બ્યૂરો :કરીના કપૂરે (Kareena Kapoor) હાલમાં જ બીજા સંતાનને જન્મ આપ્યો છે. એક્ટ્રેસ હાલ પોતાના બીજા દીકરાના નામને લઈને ચર્ચામાં છે. પરંતુ શુ તમે જાણો છો કે, કરીના લગ્ન બાદ સેરોગસીથી સંતાન પેદા કરવાનું પ્લાનિંગ કરી રહી હતી. પંરતુ બાદમાં તેનુ મન બદલાઈ ગયુ અને તેણે પ્રેગનેન્સી ધારણ કરીને બે દીકરાને જન્મ આપ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરિયર અને ફિગરની હતી ચિંતા
કરીનાએ હાલમાં જ પોતાના પુસ્તકમાં પોતાની પ્રેગનેન્સીને લઈને અનેક ખુલાસા કર્યાં છે. તેણે પોતાના પુસ્તકમાં લખ્યુ છે કે, તેને એ વાતની ચિંતા હતી કે, પ્રેગનેન્સી બાદ ક્યાંક કરિયર પર અસર ન પડે. એક્ટ્રેસના મનમાં આ વાતને લઈને બહુ જ ડર હતો. લગ્ન અને પછી પ્રેગનેન્સીથી તેમના શરીરમાં બદલાવ આવી શકે છે. સૈફ અલી ખાને (Saif Ali Khan) પુસ્તકમાં લખ્યુ છે કે, કેવી રીતે મહિલાઓ માટે કરિયર સંબંધી ચીજો મુશ્કેલભરી બની જાય છે. 


સૈફે વ્યક્ત કરી ચિંતા
સૈફ અલી ખાને એ સમયનો ઉલ્લેખ કરીને કહ્યું કે, કરીનાએ પહેલા સેરોગસીનો વિકલ્પ વિચાર્યો હતો. જ્યારે કરીનાએ ડેટિંગ શરી કરી હતી, ત્યારે તેની સાઈઝ ઝીરો ફિગર હતી. તે સમયે તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણુ કામ મળતુ હતું. આવામાં જો તે પ્રેગનેન્ટ થવાનો વિચાર કરી તો તેના કરિયર પર અસર પડી શકે તેમ હતું 


સૈફે કહ્યું ઈન્ડસ્ટ્રીનું સત્ય 
સૈફે પુસ્તકમાં લખ્યુ કે, આપણી ઈન્ડસ્ટ્રીઝમાં એક એક્ટ્રેસ પર અનેક બાબતોનું દબાણ હોય છે. આખરે એ મહત્વનુ છે કે તમે કેવા દેખાવો છો. તેનુ શાનદાર ચાલી રહ્યુ હતું અને તેની એપિરિયન્સમાં બહુ મોટો રોલ હતો. પ્રેગનેન્સીથી શારીરિક બદલાવ આવે છે. જેને કારણે ફરીથી શેપમાં આવવા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જ્યારે અમે પહેલીવાર સંતાન વિશે વાત કરી તો મને શંકા હતી કે, તેણે સેરોગસી માટે વિચાર કરવો જોઈએ. પંરતુ તેણે અનુભવ્યું કે, જિંદગીમાં દરેક ચીજ માટે તમારે 100 ટકાની જરૂર હોય છે. એકવાર જો તેણે નક્કી કરી લીધું તો તેને કોઈ તકલીફ ન આવી. 
 
કરીના બીજીવાર બની પ્રેગનેન્ટ
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને 21 ફેબ્રુઆરીના રોજ પોતાના નાના દીકરાનું ઘરમાં સ્વાગત કર્યું. સૈફે આ વાતની માહિતી આપીને સોશિયલ મીડિયા પર મેસેજ કર્યો હતો. તેણે પોસ્ટમાં લખ્યુ હતું કે, અમને એક બાળકનો આર્શીવાદ મળ્યો છે. ભગવાનની કૃપાથી મા અને બાળક બંને સુરક્ષિત છે.