મુંબઈ: કોરોના સંકટ વચ્ચે બોલિવૂડ અને ટેલિવિઝનના કલાકારોના દુનિયામાંથી વિદાયના હચમચાવી નાખે તેવા સમાચાર સતત ચાલુ જ છે. હવે એવા સમાચાર છે કે ટીવી અભિનેતા સમીર શર્મા (Sameer Sharma) એ આત્મહત્યા કરી લીધી છે. તેમણે મુંબઈના મલાડ ખાતેના તેમના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. સમીર શર્મા 'કહાની ઘર ઘર કી',  'યે રિશ્તે હૈ પ્યાર કે' સીરિયલમાં કામ કરી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

44 વર્ષના સમીર શર્માએ બુધવારે મલાડ પશ્ચિમ સ્થિત નેહા સીએચએસ બિલ્ડિંગમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. મલાડ પોલીસના જણાવ્યાં મુજબ સમીરે આ ફ્લેટ ફેબ્રુઆરી મહિનામાં ભાડે લીધો હતો. રાતે ડ્યૂટી દરમિયાન ચોકીદારે સમીર શર્માનું બોડી લટકતું જોયું હતું. આ મામલે પોલીસે જણાવ્યું કે તેમને બોડીની હાલત જોઈને એવી શંકા છે કે અભિનેતાએ બે દિવસ પહેલા આત્મહત્યા કરી હશે. આકસ્મિક મોતનો કેસ દાખલ કરીને બોડીને હાલ ઓટોપ્સી માટે મોકલી દેવાયું છે. સમીર શર્માનો મૃતદેહ ઘરના રસોડાની સિલિંગ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube