મુંબઇ: આ શનિવારે એટલે કે 8 ઓગસ્ટના રોજ શ્વાસની લેવામાં તકલીફ થતાં સંજય દત્ત મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયા હતા, પરંતુ બે દિવસ બાદ એટલે કે સોમવારે બપોરે સંજય દત્તને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ હતી. પરંતુ પોતાના પાલી હિલના ઘરમાં પહોંચ્યાના બીજા દિવસે જ સંજય દત્તે હશે મેડિકલ ટ્રીટમેન્ટ માટે રજા પર જવાની જાહેરાત કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંજય દત્તે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લખ્યું કે ''હાય દોસ્તો, હું મેડિકલ ટ્રીટમેન્ટ માટે કામમાંથી થોડો બ્રેક લઇ રહ્યો છું. મારો પરિવારા અને મારા મિત્રો મારી સાથે છે અને હું મારા શુભચિંતકોને ગુજારિશ કરું છું કે મારી તબિયતને લઇને બિનજરૂરી અનુમાન ન લગાવો. તમારા બધાનો પ્રેમ અને શુભકામનાના કારણે હું જલદી જ પરત ફરીશ.'


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube