Sonakshi Sinha on Muslim Religion wedding: સોનાક્ષી સિંહાએ જ્યારથી ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી છે ત્યારથી જ લગ્નને લઈને તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. બીજા ધર્મમાં લગ્ન કરવાની લઈને સોનાક્ષી સિંહાને સતત ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. સોનાક્ષી સિંહાએ પરિવાર અને મિત્રોની હાજરીમાં ઝહીર ઈકબાલ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન કર્યા પછી બંને હાલ હનીમૂન પિરિયડ માણી રહ્યા છે. લોકો જે વાતને લઈને સોનાક્ષીને ટ્રોલ કરી રહ્યા છે તે વાત હવે સોનાક્ષીના કાને પણ પડી ગઈ છે. અને સોનાક્ષી સિંહા એ પણ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્રોલર્સની બોલતી બંધ કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Video: કીમોથેરાપી શરુ થતા હિના ખાને જાતે કાપી નાખ્યા વાળ, વીડિયો જોઈ ધબકારા વધી જશે


સોનાક્ષી સિંહા ઝહીર ઈકબાલ સાથે હનીમૂન માણી રહી છે. આ બંને કઈ જગ્યાએ છે તે લોકેશન શેર કરવામાં આવ્યું નથી પરંતુ તેમના વિડિયો અને ફોટો સતત વાઇરલ થઈ રહ્યા છે. હનીમૂનના ફોટો અને વિડીયોની વચ્ચે સોનાક્ષી સિંહાએ પોતાની સ્ટોરીમાં મુસ્લિમ ધર્મમાં લગ્ન કરવાને લઈને જે લોકો તેને ટ્રોલ કરે છે તેમને જવાબ પણ આપી દીધો છે. સોનાક્ષીએ પોતાની સ્ટોરીમાં ચાર સ્ક્રીનશોટ શેર કર્યા હતા જેમાં તેણે ચાર વાતો લખી હતી. સાથે જ તેણે એવું પણ લખ્યું હતું કે આ ચાર વાતો દરેક વ્યક્તિએ સ્કૂલમાં જ શીખી લેવાની હોય છે..


આ પણ વાંચો:  બિગ બોસના ઘરમાં આ બોલ્ડ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કરશે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી !


આ પોસ્ટમાં સોનાક્ષી સિંહાએ ઘણી બધી વાતો લખી છે પરંતુ છેલ્લી લાઈનમાં તેણે એવા લોકોને જવાબ આપ્યો છે જે તેને બીજા ધર્મમાં લગ્ન કરવાની લઈને ટ્રોલ કરી રહ્યા છે. સોનાક્ષી સિંહાએ લખ્યું હતું કે, શક્ય છે કે તમારા વિચાર બીજા કરતા થોડા અલગ હોય. દરેક સાથે આવું થાય છે. પરંતુ તમે સહનશીલ બનીને સારા માણસ બની શકો છો. 


આ પણ વાંચો:  સોનાક્ષી સિંહાની હોરર કોમેડી ફિલ્મ કકુડાનું ટ્રેલર મચાવી રહ્યું છે ધુમ, તમે જોયું ?


મહત્વનું છે કે સોનાક્ષી સિંહાએ ઝહીર ઈકબાલ સાથે 23 જુને લગ્ન કર્યા હતા. આ લગ્નમાં ફક્ત નજીકના મિત્રો અને પરિવારના લોકો હતા. કોર્ટ મેરેજ કર્યા પછી 23 જુને બંને શાનદાર રિસેપ્શન રાખ્યું હતું જેમાં બોલીવુડના બધા જ કલાકારો પહોંચ્યા હતા.