મુંબઈ : બોલિવૂડના પ્રખ્યાત સિંગર સોનુ નિગમને હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હતું કારણકે તે ગંભીર રીતે સ્કિન એલર્જીનો ભોગ બન્યો છે. હકીકતમાં સોનુને જમવામાં એવી કોઈ વસ્તુ આવી ગઈ જેના કારણે તે ગણતરીની સેકન્ડોમાં એલર્જીનો ભોગ બન્યો હતો. જોકે સદનસીબે જલદી અને સારી ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલ ઓથોરિટીઝે સોનુ નિગમને આઈસીયુમાં દાખલ કરી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ્સ અનુસાર સોનુને આઈસીયુમાં ભરતી કર્યા પછી 2 દિવસમાં ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યો હતો. હવે તે ઠીક છે અને આ વિગતો તેણે જ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી છે. સાથે સોનુ નિગમે લખ્યું છે કે જો કોઈપણ પ્રકારની એલર્જી થાય તો તેની તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ.


બોલિવૂડની આ સ્ટાર જોડી લેશે ડિવોર્સ, 7 વર્ષ પહેલાં હોંશહોંશે કર્યા હતા લગ્ન


હજી ગણતરીના દિવસો પહેલાં પૂર્વ સાંસદ નિલેશ રાણે એ એક મોટો ધડાકો કરતા નિવેદન આપ્યુ છે કે, શિવ સેનાનાં સ્થાપક બાળ ઠાકરે સિંગર સોનુ નિગમને મારી નાંખવા માંગતા હતા. આ માટે બાળ ઠાકરેએ સોનુ નિગમને મારી નાંખવા ઘણા પ્રયાસ કર્યા હતા. આ બાબત સોનુ નિગમ પણ જાણે છે. જો કે, નિલેશ રાણે આ વિશે વધુ વિગતો આપી નહોતી. નિલેશ રાણે હાલ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને પ્રચાર સમિતિમાં પણ છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....