બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન  હાલ લલિત મોદી સાથેની પોતાની રિલેશનશીપની વાતોના કારણે ખુબ ચર્ચામાં છે. અભિનેત્રી આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીને ડેટ કરી રહી છે એવું કહેવાઈ રહ્યું છે. આવું લલિત મોદીએ પોતે સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોથી જાણવા મળ્યું છે. હાલમાં જ લલિત મોદીએ માલદીવ વેકેશનના ફોટા શેર કરીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો. લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા લખ્યું કે તેઓ અને સુષ્મિતા એક બીજાને ડેટ કરી રહ્યા છે. જો કે સુષ્મિતાએ આ સમગ્ર મામલે પોતાનું રિએક્શન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુષ્મિતા સેને હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર દીકરીઓ રેને અને અલીશા સાથે ફોટો શેર કરીને કહ્યું કે તે ખુબ ખુશ છે. તેણે લખ્યું કે હું હાલ મારી હેપ્પી પ્લેસમાં છું. મારા લગ્ન થયા નથી. કોઈ રિંગ નથી, બસ અઢળક પ્રેમ છે. લલિત મોદી અને સુષ્મિતા સેનના આ મામલા વચ્ચે અભિનેત્રીનું નિવેદન પણ ખુબ ચર્ચામાં છે. જેમાં તેણે જણાવ્યું હતું કે આખરે 46 વર્ષની ઉંમર બાદ પણ તેણે લગ્ન કેમ કર્યા નથી? ખાસ જાણો કારણ કે સુષ્મિતાએ હજુ લગ્ન કેમ નથી કર્યા. 


ટ્વિંકલ ખન્નાના શોમાં સુષ્મિતા સેને પોતાની પર્સનલ લાઈફ વિશે અનેક ખુલાસા કર્યા. તેણે પોતાના જીવન વિશે વાત કરતા કહ્યું કે તેણે પોતાના જીવન વિશે વાત કરતા કહ્યું કે મેં અત્યાર સુધી લગ્ન એટલા માટે નથી કર્યા કારણ કે મારા બાળકો છે. પરંતુ લગ્ન નહીં નહીં કરવાનું કારણ પુરુષ છે. રૈનેને દત્તક લીધા બાદ મારી લાઈફમાં કોઈ એવો વ્યક્તિ આવ્યો નથી જે મને સમજી શકે, મારા કામને સમજી શકે. હું પણ ક્યારેય કોઈની પણ પાસે એ આશા નથી રાખતી કે મારી જવાબદારી સંભાળે. હું મારી પુત્રીઓથી દુર રહી શકતી નથી, મારી પુત્રીઓને મારી જરૂર છે. 


મારા લગ્નનું કારણ મારા બાળકો નથી
સુષ્મિતા સેને જણાવ્યું કે મારું લગ્ન ન થવાનું કારણ ક્યારેય મારા બાળકો નથી પરંતુ મારા જીવનમાં આવેલા પુરુષો જ છે. મારા જીવનમાં અનેક પુરુષો આવ્યા અને કેટલાક તો ખુબ જ સારા હતા પંરતુ મારા લગ્ન તેમની સાથે એટલા માટે ન થઈ શક્યા કારણ કે તેઓ મારાથી નિરાશ હતા. મારા લગ્નમાં ક્યારેય મારા બાળકો રોડા બન્યા નથી. મારી પુત્રીઓ મારી હિંમત છે. તેમણે મારી લાઈફને હંમેશા સ્વીકારી છે અને સન્માન આપ્યું છે. 


સુષ્મિતા સેન પોતાના જીવનમાં અનેક લોકોને ડેટ કરી ચૂકી છે અને એવામાં તેના જીવનમાં 3વાર એવો સમય આવ્યો કે જ્યારે તેના લગ્ન થતા થતા રહી ગયા. સેને ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે જ્યારે હું લગ્ન કરવાની હતી પરંતુ ઈશ્વરે મને બચાવી લીધી. હું કહી નથી શકતી કે આ કેટલી મોટી ડિઝાસ્ટર થઈ શકે તેમ હતી. બસ એટલું જ કહીશ કે ભગવાને મને અને મારા બાળકોને બચાવી લીધા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube