હીતલ પારેખ/ ગાંધીનગરઃ રાજ્યમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને નાગરિકોના સમયની બચત માટે 9 ફ્લાયઓવર બનાવવાની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મુખ્ય માર્ગો પર આ ફ્લાયઓવર બનાવવામાં આવશે. રાજ્યમાં આંતર માળખાકીય સવલતોનો વ્યાપ વધારવા માટે માર્ગ-મકાન વિભાગ દ્વારા સમયબદ્ધ આયોજન કરાયું છે. જેના ભાગરૂપે આગામી સમયમાં રૂ.487 કરોડના ખર્ચે નવા 9 ફ્લાયઓવરનું નિર્માણ કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, સરકારે રાજ્યમાં માર્ગ સુવિધાના કામો ક્ષેત્રે વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. હયાત માર્ગોને પહોળા કરવા, કાચા માર્ગોને પાકા કરવા અને ચાર-માર્ગી રસ્તા ઉપર આવતા જંકસનો પર ફ્લાયઓવર બનાવવાનું લક્ષ્ય છે. હાલ, અમદાવાદમાં સરખેજથી ચિલોડા સુધીના ચાર માર્ગી રસ્તાને છ માર્ગીય કરવાનું કામ પૂરજોશમાં શરૂ કરી દેવાયું છે. 


ભાજપ સરકારે લોકસભા ચૂંટણી માટે આપ્યો નવો નારોઃ 'અબ કી બાર, 400 પાર'


નીચેના માર્ગો પર બનશે ફ્લાયઓવર
1. આણંદ - કરમસદ હાઈવે પર બોરસદ ખાતે રૂ.45 કરોડનો ખર્ચ 
2. સિદ્ધપુરના દેથલી ચાર રસ્તા પર રૂ.35 કરોડનો ખર્ચ 
3. પાટણના નવજીવન હોટલના ચાર રસ્તા પર રૂ.27 કરોડના ખર્ચ
4. ભુજ-લખપત રોડ પર રૂ.36 કરોડના ખર્ચે બે ફ્લાય ઓવર 
5. મહેસાણાના મોઢેરા ચાર રસ્તા પર રૂ.110 કરોડનો ખર્ચ 


ગુજરાતમાં થાય છે હથિયારોની તસ્કરી, પોલીસે જ જાહેર કર્યા આંકડા


6. સુરત-કડોદરા રોડ પર કડોદરા જંકશન ખાતે રૂ.110 કરોડનો ખર્ચ 
7. સૌરાષ્ટ્ર-રાજકોટ-જામનગર રોડ પર માધાપર જંક્શન ખાતે રૂ.60 કરોડનો ખર્ચ 
8. ગાંધીનગર-અમદાવાદ રોડ પર ધોળાકુવા ખાતે રક્ષાશક્તિ સર્કલ પર રૂ.50 કરોડનો ખર્ચ 
9. ગાંધીધામ-ટાકોર રોડ પર રૂ.17 કરોડનો ખર્ચ


ગુજરાતનું એક એવું મંદિર જ્યાં માનતા પુરી થતા ચઢાવાય છે જીવતા કરચલા


નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં નાગરિકોની સુવિધા માટે તેમજ ટ્રાફીક સમસ્યાના નિવારણ માટે સરકાર જ્યાં જરૂર જણાશે ત્યાં નવા ફ્લાયઓવર બનાવશે. આ માટે નવા ઓવરબ્રીજને પણ ટૂંક સમયમાં જ મંજૂરી આપવામાં આવશે. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...