વડોદરાઃ ગુજરાતમાં અમદાવાદ અને સુરત બાદ કોરોના વાયરસના સૌથી વધુ કેસ વડોદરામાં નોંધાયા છે. અહીં આજે નવા 19 કેસ નોંધાવાની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 300ને પાર પહોંચી ગઈ છે. તો રાજ્યભરમાં કોરોના પીડિતોની સંખ્યા 4 હજારને પાર પહોંચી છે. તો વડોદરામાં કોરોના વાયરસને કારણે આજે એક વ્યક્તિનું મોત પણ થયું છે. આ અત્યાર સુધી કુલ 20 લોકોના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે 19 રિપોર્ટ આવ્યા પોઝિટિવ
વડોદરામાં આજે પાણીગેટ વિસ્તારમાં આવેલા શેખ ફરીદ વિસ્તારમાં રહેતા સરવરભાઈ રઝાનું કોરોના વાયરસને કારણે નિધન થયું છે. તો બુધવારે સાંજથી આજે સવાર સુધી લેવાયેલા 169 રિપોર્ટમાંથી 19 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તો વડોદરામાં અત્યાર સુધી કુલ 99 લોકોએ કોરોનાને માત આપી છે. 


અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે AMCએ આપ્યા 2 મોટા પોઝિટિવ સમાચાર


વડોદરામાં આજે નવા 19 કેસ નોંધાયા તે શહેરના નાગરવાડા, રાવપુરા, યાકુતપુરા, હરણી-વારરિયા રિંગ રોડ, પાણીગેટ, વાઘોડિયા રોડ, ન્યાયમંદિર અને મોગલવાડા વિસ્તારમાંથી સામે આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર