અમદાવાદ : અમદાવાદમાં આવેલ ઈસરોમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. જેને પગલે પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક દોડાવવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ઈસરોના પ્રદર્શન વિભાગમાં આજે બપોરના સમયમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે મોટુ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર વિભાગને બોલાવવું પડ્યું હતું. ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓનો કાફલો ઈસરો પહોંચાડી દેવામાં આવ્યો હતો અને આગ બૂઝવવવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે, કોઈ જાનહાનિ થઈ ન હતી. 



આ આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી. પરંતુ તેને બૂઝવવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી હતી. ઈસરોના પ્રદર્શન રૂમમાં લાગેલી આગમાં સ્ક્રેપ અને પેપર સ્ટેશનરી બળીને ખાખ થઈ ગઈ હતી. તો  સ્ટોરરૂમમાં પડેલી સ્ટેશનરી પણ બળીને ખાખ થઈ ગઈ છે. ફાયર વિભાગની ટીમે આગ પર મહદંશે કાબુ મેળવ્યો હતો.