ઝી ન્યૂઝ/વડોદરા: ફાગણમાં કેસુડાના ફૂલનું ખુબ મહત્વ હોય છે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં કેસુડાના વૃક્ષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. વસંત ઋતુ શરૂ થતા જ કેસુડાના ફૂલની ચાદર છવાઈ ગઈ છે. એકતાનગરમાં કેસુડા ટૂર માટે 3 રૂટ તૈયાર કરાયા છે. પ્રવાસીઓ કેસુડાના ફૂલની સાથે ટ્રેકિંગ કરી શકે તેવી વ્યવસ્થા હાલ ગોઠવવામાં આવી છે. વૃક્ષો વિશે ગાઈડ લોકોને માહિતી આપી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તહેવારોની સીઝન શરૂ થતાં જ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં દેશ વિદેશથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ત્યારે એકતાનગરમાં 65 હજાર કેસુડાના વૃક્ષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વસંત ઋતના આગમનની સાથે કેસુડાના ફૂલની ચાદર છવાઈ જતી હોય છે. જેથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં કેસુડા ટૂરની શરૂઆત કરાઈ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube