દિવ્યેશ જોશી/રાજકોટ: રાજકોટના મોવડી ચોકડી વિસ્તાર પાસે આવેલ રઘુવીર ભજીયા નામની પેઢી ધરાવતા ધંધાર્થીએ થેલેસેમિયા પીડીતો માટે અનોખી પહેલ કરી છે. વેપારી સંજયભાઈએ પોતાની નાસ્તાની દુકાન ઉપર બોર્ડ માર્યું છે કે થેલેસેમિયા ગ્રસ્તોને મફતમાં નાસતો આપવામાં આવશે. જેથી તેમની દુકાને જે કોઈ પણ થેલેસેમિયા ગ્રસ્ત જાય છે તેને ત્યાં બેસાડી ભજીયા, સમોસા,કચોરી, વડાપાઉં સહિતની  જેટલો નાસતો કરવો હોય તે ત્યાં બેસાડી એક પણ રૂપિયા લીધા વિના કરાવામાં આવે છે તેમજ વેપારી સંજયભાઇને ત્રણ વર્ષ અગાઉ બુટ-ચંપલની દુકાન હતી. ત્યારે પણ તેઓ થેલેસેમિયા ગ્રસ્તોને મફ્તમાં બુટ-ચંપલ આપતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેપારી સંજયભાઈ એ જણાવ્યું હતું કે તેના પુત્રને જન્મથી જ થેલેસેમિયા હતો અને તેની સારવાર માટે તેમને ખૂબ જ હેરાનગતિ ભોગવી પડી હતી અને આજે તેમના દીકરાની ૧૨ વર્ષની ઉંમરે થેલેસેમિયાને માત આપી હતી તેથી જ તેમણે સંકલ્પ લીધો હતો કે મારી પરિસ્થિતિ મુજબ હું રોકડ રૂપે થેલેસેમિયા ગ્રસ્તોને મદદ કરી શકું તેમ નથી તેથી જ મારે નાસ્તાનું જે ધંધો છે. 


ભૂવાઓએ પરિવાર પાસેથી 35 લાખ ખંખેર્યા,કહ્યું; 82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે...
આ પણ વાંચો: અમદાવાદનું SVPI એરપોર્ટ પસંદગીનું એરપોર્ટ બન્યુ! VIPsની અવરજવરમાં સર્જ્યો વિક્રમ
આ પણ વાંચો: હવે ટ્રાફીક ફ્રી બનશે એસજી હાઇવે, વૈષ્ણોદેવી સર્કલ અંડરપાસ ખુલ્લો મુકાયો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube