Vaishnodevi Underpass: હવે ટ્રાફીક ફ્રી બનશે એસજી હાઇવે, વૈષ્ણોદેવી સર્કલ અંડરપાસ ખુલ્લો મુકાયો

Vaishnodevi Circle: AUDA એ 720 મીટર લાંબા અને 23 મીટર પહોળા બ્રિજનું 40.36 કરોડના ખર્ચે  નિર્માણ થયું છે. આ અંડરપાસમાંથી દૈનિક 50 હજારથી વધુ મુસાફરો અહીંથી પસાર થશે.

Vaishnodevi Underpass: હવે ટ્રાફીક ફ્રી બનશે એસજી હાઇવે, વૈષ્ણોદેવી સર્કલ અંડરપાસ ખુલ્લો મુકાયો

S G Highway: રાજ્યમાં ફરી એકવાર ગુજરાતમાં ભાજપની સરકાર સત્તામાં આવી છે. ત્યારે ધડાધડ કામોને આગળ ધપાવવામાં આવી રહ્યા છે. ગઇકાલે ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળે ચાર્જ સંભાળ્યો છે. ત્યારે ચૂંટણી પહેલાં અટવાઇ પડેલા કામોને આગળ વધારવા માટે સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વૈષ્ણોદેવી સર્કલ પાસેના અંડરપાસનું લોકાર્પણ કર્યું હતું. 

આ અંડરબ્રિજ ખુલ્લો મુકાતાં ટ્રાફીકની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ અંડરબ્રિજના લીધે સરળ અને ટ્રાફિક ફ્રી એસ જી હાઇવેના ઇન્ફ્રાષ્ટ્રક્ચરમાં વધુ એક ઉમેરો થયો છે. AUDA એ 720 મીટર લાંબા અને 23 મીટર પહોળા બ્રિજનું 40.36 કરોડના ખર્ચે  નિર્માણ થયું છે. આ અંડરપાસમાંથી દૈનિક 50 હજારથી વધુ મુસાફરો અહીંથી પસાર થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલથી સ્વામીનારાયણ સમુદાયના શતાબ્દી મહોત્સવની શરૂઆત ત્યારે અંડરપાસ આર્શિવાદ સમાન સાબિત થશે. એક મહિના સુધી ચાલનાર આ મહોત્સવ દરમિયાન ભારે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. 

અમદાવાદ શહેર ટ્રાફીક પોલીસ વિભાગ દ્વારા ટ્વીટ કરી સરદાર પટેલ રીંગરોડ પર ટ્રાફીક પરિવહન ધીમો રહેવા અંગે જાણકારી આપી છે. ઓગણજ સર્કલ થઇ વૈષ્ણોદેવી સર્કલ તેમજ તપોવન સર્કલથી એરપોર્ટ સુધી ટ્રાફિકની અસર રહી શકે છે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવને લઇને ભીડ વધવાની હોવાથી કર્યા વાહનચાલકોને સચેત એરપોર્ટ જવા માંગતા મુસાફરોને જરૂરી આયોજન કરવા પણ સુચના આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news