• રાજકોટના કાલાવાડ રોડ પર મટોડા જીઆઈડીસી પાસે બપોરે એક વાગ્યાના આસપાસ આ અકસ્માત સર્જાયો હતો

  • પુરપાટ ઝડપે આવતી GJ-03-KC-8475 નંબર ની સફેદ કલરની હોન્ડા અમેઝ કાર બસ સાથે અથડાઇ હતી


ગૌરવ દવે/રાજકોટ :રાજકોટથી કાલાવડ રોડ પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મેટોડા GIDC નજીક અકસ્માત સર્જાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે, તો બે ઈજાગ્રસ્ત થયા છે. ત્રણેય મૃત વિદ્યાર્થીઓ પારુલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ હતા. રાજકોટ હોમિયોપેથિક પારૂલ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાંથી પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ગુજરાતી ઉદ્યોગપતિ ઘનશ્યામ ધોળકિયાએ મુંબઈમાં ખરીદેલો 185 કરોડના બંગલાનો અંદરથી આવો છે નજારો


અમેઝ કાર બસ સાથે અથડાઇ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના કાલાવાડ રોડ પર મટોડા જીઆઈડીસી પાસે બપોરે એક વાગ્યાના આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. એક મોટર કાર અને એસટી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. રાજકોટ થી રજૂણાની ST બસ કાલાવડ તરફ જતી આ સામે પુરપાટ ઝડપે આવતી GJ-03-KC-8475 નંબર ની સફેદ કલરની હોન્ડા અમેઝ કાર બસ સાથે અથડાઇ હતી અને કારની ઝડપ વધુ હોવાના કારણે તે બસની નીચેના ભાગમાં ઘુસી ગઇ હતી. કારમાં પાંચ વિદ્યાર્થીઓ સવાર હતા. જે તમામ પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા. રાજકોટ હોમિયોપેથિક પારૂલ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાંથી પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. 


આ પણ વાંચો : જે-જે નદીઓમાં ભગવાન સ્વામીનારાયણે સ્નાન કર્યુ હતું, તેમાં હરિપ્રસાદ સ્વામીજીના અસ્થિ વિસર્જન કરાશે



મૃતદેદોને બહાર કાઢવા માટે JCB ની મદદ લેવી પડી
અકસ્માતમાં નિશાંત દાવડા, આદર્શ ગોસ્વામી અને ફોરમ ધાગધરીયાના મોત નિપજ્યા છે. ST બસ અને કાર વચ્ચે અકસ્માત થતા કાર બસની આગળના ભાગમાં અંદર ઘુસી ગઇ હતી જેને બહાર કાઢવા માટે JCBની મદદ લેવી પડી હતી અને JCBની મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.


આ પણ વાંચો : આ સુંદર ચહેરા પર ન જતા, કામવાળી પર ભરોસો રાખતા પહેલા વડોદરાની લૂંટનો આ કિસ્સો જરૂર વાંચો