અમદાવાદ: અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં આજે બપોરે એકાએક ત્રણ માળનું એક મકાન ધરાશાયી થતાં જ અફરાતફી મચી જવા પામી હતી. આ દુર્ઘટનામાં 7 જેટલા લોકો દટાયા હતા. જો કે, આ ઘટનાને પગલે ફાયર સહિતની ટીમો સ્થળ પર આવી પહોંચી છે અને બાચવ કામગીરી હાથ ધરવામાં આવી છે. મકાનના કાટમાળમાં દટાયેલા 4 લોકોને ફાયર ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. તો બીજી તરફ હજી પણ 1 વ્યક્તિ ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે પ્રાથમિક તાપમાં 2 વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના અમરાઇવાડી વિસ્તારમાં બંગલાવાળી ગલીમાં આવેલું એક જર્જરીત મકાન એકાએક ધસી પડ્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના મકાનો પણ ખાલી કરાવી દેવામાં આવ્યા છે. જ્યાં આ મકાન આવેલું છે એ ગલી સાંકડી હોવાથી બચાવ કામગીરીમાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. તો સાથે સાથે સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં જોડાઇ ગયા છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...