Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદના ચાંદખેડામાં નવજાત બાળકની હત્યા મામલે આરોપી મહિલાની સારવાર બાદ ધરપકડ કરાશે. તો સાથે જ વિદેશમાં રહેતા તેના પ્રેમીની પણ વીડિયો કોલથી પ્રાથમિક પૂછપરછ કરી પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરાશે. તો આરોપી યુવતીને ગર્ભ હતો તેની જાણ તેના પરિવાર કે અન્ય કોને કોને હતી તે બાબતે પણ વિગતવાર પૂછતાછ હાથ ધરાશે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે દિવસ પહેલા અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ સ્કાય વોક એપાર્ટમેન્ટમાં નવજાત બાળકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ દ્વારા પોલીસને મેસેજ અપાયો હતો કે એક નવજાત બાળકને બિલ્ડીંગ પરથી નીચે ફેંકી દેવાયું છે. મેસેજ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ 9 માં કે 10માં માળ ની છત ઉપરથી તાજું જન્મેલા બાળકને ફેંકી દઈ હત્યા કરી છે. પોલીસને તપાસમાં સામે આવ્યું કે 9 માં માળેથી બાથરૂમમાંથી કોઈએ જન્મેલા બાળકને નીચે ફેંકી દીધું છે. જેના આધારે તપાસ કરતા એક ફ્લેટનાં બાથરૂમમાં લોહીના ડાઘ મળી આવતા તપાસ કરતા હકીકત સામે આવી હતી કે, ત્યાં રહેતી યુવતીએ બાળકને બાથરૂમમાં જન્મ આપ્યો હતો અને બાદમાં તેને બાથરૂમમાંથી જ નીચે ફેંકી દીધું હતું. જોકે એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે બાળક મૃત જન્મ્યું હતું કે જીવંત. આ ઉપરાંત યુવતીની પણ તપાસ માટે એફએસએલ રીપોર્ટની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ મહિલા હાલ સારવારમાં હોવાથી તેની તબિયત સ્થ્વસ્થ થયાં બાદ પોલીસ મહિલાની ધરપકડ કરશે.


ટિકટોક ગર્લની હવા નીકળી ગઈ, ફરિયાદ બાદથી કીર્તિ પટેલ ગાયબ, સાગરીતોએ માફી માંગી


મહત્વનું છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવતીના પ્રેમી દ્વારા ગર્ભ રાખવામાં આવ્યું હતું. પણ યુવતીએ તેના પરિવારથી સમગ્ર હકીકત છુપાવી હતી. યુવતી અન્ય દેશમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીમાં નોકરી કરતી હતી અને થોડા સમય પહેલા જ અમદાવાદ આવી હતી. યુવતીનો પ્રેમી પણ હાલમાં અન્ય દેશમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીમાં નોકરી કરે છે અને અવાર નવાર અમદાવાદ આવતો હોય છે. જેથી હવે ગર્ભ બાબતે કેટલા લોકો જાણતા હતા જેવી માહિતીઓ ભેગી કરવા પોલીસ તપાસમાં લાગી છે.


મેચ પહેલા મેદાનમાં ભરાયો 'દાદાનો દરબાર'! ખેલાડીઓ અને પ્રેક્ષકો બધાએ કેમ કર્યું...


પોલીસ હાલ મહિલાના સ્વસ્થ થવાની અને એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. મહિલાની ધરપકડ બાદ તેના પ્રેમીની પણ પૂછપરછ કરવામાં આવશે. હાલ તેનો પ્રેમી ભારતમાં છે કે કેમ તે તપાસ કરાશે. તેને કોઈ વાતની જાણ છે કે કેમ તેવા અનેક સવાલોના જવાબ પોલીસ મેળવશે. આ ઉપરાંત પ્રેમીને ખ્યાલ હોવા છતાં પણ તેને યુવતીને ડિલિવરી કરવા કે લગ્ન કરવા મનાઈ કરી હોય તો પોલીસ યુવતીના પ્રેમી પર પણ કાર્યવાહી કરશે. ત્યારે આગામી સમયની તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવાનું રહેશે. 


આ વ્યક્તિને જોઈને પગે લાગ્યા સીઆર પાટીલ, નમસ્કાર કરીને આગળ વધ્યા, જુઓ Video