Ahmedabad News અતુલ તિવારી/અમદાવાદ : અમદાવાદમાં સગીરાએ બે વ્યક્તિઓ સામે બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ નોંધાવી છે. 17 વર્ષીય સગીરાએ આધેડ પાડોશી અને મામાના દિકરા વિરુદ્ધ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સગીરાએ કહ્યું, તે 9 થી 11 વર્ષની હતી, તે સમયે પાડોશી આધેડે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય આચાર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, આધેડ પાડોશીના દીકરાને ઘરે બાળકનો જન્મ થયો ત્યારે તે સમયે સગીરા 10 વર્ષની હતી અને પાડોશમાં જન્મેલા બાળકને રમાડવા જતી હતી. તે સમયે એકલતાનો લાભ લઇ આધેડ પાડોશી મરજી વિરુદ્ધ કૃત્ય કરતો તેમજ શરીર સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી. આધેડ સિવાય સગીરાએ અન્ય શખ્સ સામે પણ ફરિયાદ નોંધાવી, વર્ષ 2016 માં મામાના દિકરાએ બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. 


કારની છત પર બેસેલી ડાકણ સીધી ઉડીને આવી, રાતના અંધારામાં રસ્તા પર જોવા મળ્યું ભૂત


સગીરા ધોરણ 5ની પરીક્ષા આપ્યા બાદ મામાના ઘરે 3 દિવસ રોકાઈ હતી, તે સમયે મામાના દીકરાએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારી, શરીર સંબંધ બાંધ્યો હોવાની ફરિયાદ કરાઈ છે. વર્ષ 2016માં રક્ષાબંધન તેમજ દિવાળીના સમયે પણ મામાના દીકરાએ અલગ અલગ જગ્યાએ શરીર સંબંધ બાંધ્યાની ફરિયાદ દાખલ કરાઈ. મામાનો દીકરો તેને ધમકી આપતો હતો કે, સમગ્ર ઘટનાની જાણ સગીરા પરિવારમાં કોઈને કરે તો જાનથી મારી નાંખશે. 


જો આજે લોકસભા ચૂંટણી થાય તો તમે કોને મત આપશો, ગુજરાતીઓએ આપ્યો આ જવાબ


જે તે સમયે સગીરા 9 થી 11 વર્ષની અને ધોરણ 4 થી 6માં અભ્યાસ કરતી હોઈ આરોપીઓ તેની સાથે શું કરે છે, તેની તેને જાણ નહતી, સમજ પડતી ના હોવાથી પરિવારમાં પણ કોઈને કાંઈ કહ્યું નહતું. થોડા સમય પહેલા જ સગીરાએ ધોરણ 12ની પરીક્ષા આપ્યા બાદ જ્યારે ઘરે રહેતી ત્યારે સમગ્ર ઘટના વારંવાર તેને યાદ આવતા ડિપ્રેશનમાં રહેતી હતી. માતા પિતાએ સગીરાની માનસિક પરિસ્થિતિ જોતા, વારંવાર વાતચીત કરતા આખરે સગીરાએ સમગ્ર હકીકત જણાવી હતી. 


સગીરાને ગુડ ટચ બેડ ટચની પણ સમજ થતા આખરે સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કરી હતી. મણિનગર પોલીસે સગીરાના માતા પિતાએ નોંધાવેલી ફરિયાદ બાદ 26 વર્ષીય મામાના દીકરાની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ, 76 વર્ષીય આધેડની તબિયત સ્થિર ના રહેતી હોવાથી હાલ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. 


Surat : 30 ફૂટે ઊંચાઈ પર ઈલેક્ટ્રીશિયનને લાગ્યો કરંટ, ક્રેનની મદદથી ઉતારાયો મૃતદેહ


મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.પી. ઉનડકટે કહ્યું ,કે ત્રણ મહિના પહેલા સગીરાએ સમગ્ર હકીકત તેના માતા પિતાને કહી હતી. ગઈકાલે સગીરાના માતા પિતાએ 76 વર્ષીય પાડોશી આધેડ અને 26 વર્ષીય મામાના દીકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પાડોશી આધેડ અને મામનો દીકરો એકલતાનો લાભ લઇ સગીરા સાથે દુષ્કર્મ કરતા હતા. બનાવ 8 વર્ષ પહેલાં બન્યો છે, જેની ફરિયાદ લીધા બાદ તપાસ શરૂ કરી છે. સગીરાએ પોતે નિવેદન લખીને આપ્યું છે, નિવેદનનું પંચનામું કરાવીશું, ઘટના જ્યાં બની એના ચિત્ર પણ સગીરાએ દોરીને આપ્યા છે. 


વરસાદનું ટાર્ગેટ હવે મધ્ય ગુજરાત : આ તરફ વળ્યા વાદળો, ગમે ત્યારે ત્રાટકશે ભારે વરસાદ