અતુલ તિવારી/અમદાવાદ: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. તમે પણ તમારા બાળકને મોબાઈલ આપો છો તો ચેતી જજો, કેમ કે અમદાવાદમાં પ્રિ-સ્કૂલના 43 ટકા બાળકોની આંખ નબળી હોવાનું સામે આવ્યું છે. બે શાળાના અઢી વર્ષથી 6 વર્ષ સુધીના 1723 બાળકોની આંખની તપાસ કરાઈ. દર પાંચમાં બાળકને તાત્કાલિક ચશ્માની જરૂર હોવાનું સામે આવ્યું છે. બે સ્કૂલમાં 43 ટકા તો ગુજરાતની અન્ય શાળામાં કેટલા ટકા બાળખની આંખ નબળી હશે. જો તમામ બાળકની આંખની તપાસ કરવામાં આવે તો ટકાવારીમાં વધારો થઈ શકે છે. આંખ નબળી થવાનું મુખ્ય કારણ વધુ પડતો મોબાઈલ-લેપટોપનો ઉપયોગ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની ગૃહિણીમાં કહી ખુશી કહી ગમ! ટામેટાં, ઘઉં બાદ હવે..આ વસ્તુ મોંઘી અને આ સસ્તી!


આઉટડોર ગેમ્સનું ઓછું એક્સપોઝર અને ઇન્ડોર પ્રવૃત્તિઓમાં વધારો થવાના લીધે પ્રી-સ્કૂલની ઉંમરના 43% બાળકોની દ્રષ્ટિ નબળી પડી. પીડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજીસ્ટે સેટેલાઈટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના છ વર્ષથી ઓછી ઉંમરના 1,723 વિદ્યાર્થીઓની આંખોની તપાસ કરી.


રૂપની માયામાં કેટલા યુવાનો ભોગ બનશે! બે ટ્રાન્સજેન્ડરે જાહેરમાં કપડાં કાઢી નાંખ્યા..


સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન (એસએસએફસી) અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન (બીએફએસસી) દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલી આંખની તપાસના ચોંકાવનારા પરિણામોએ પ્રી-સ્કૂલના બાળકોને અસર કરતા આ મુદ્દે ગંભીર ચિંતા જગાવી છે. તારણો મુજબ, 2.5 વર્ષથી 6 વર્ષની વયના આશરે 43% બાળકોની દ્રષ્ટિ નબળી છે. આ વિદ્યાર્થીઓમાંથી, લગભગ પાંચમા ભાગના બાળકોને દ્રષ્ટિ સુધારવા માટે તાત્કાલિક ચશ્માંની જરૂર છે.


રાજકોટમાં સરકારી દવાના મહાકૌભાંડનો પર્દાફાશ; મોડસ ઓપરેન્ડીથી ભલભલા ગોથે ચઢ્યા


બાળકોની એકંદર સુખાકારી જાળવવાના મહત્વને સમજીને અમદાવાદની બે અગ્રણી પ્રી-સ્કૂલ્સ એસએસએફસી અને બીએફએસસીએ ગયા અઠવાડિયે નર્સરીથી સિનિયર કેજી સ્તરના 1,723 વિદ્યાર્થીઓ માટે મફત આંખની તપાસનું આયોજન કર્યું હતું. આ પહેલનો ઉદ્દેશ્ય નાની વયના વિદ્યાર્થીઓના આંખના સ્વાસ્થ્ય સહિત એકંદરે આરોગ્યનું મૂલ્યાંકન કરવાનો હતો. આ તપાસના પરિણામથી માતા-પિતા, શિક્ષકો અને વિશાળ સમુદાયમાં બાળપણથી જ બાળકોની આંખના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાના મહત્વ વિશે જાગૃતિ આવી છે.


નેતાજીની ખુરશી હલી જશે! ખેડૂતને જાહેરમાં લાફો મારવો ભારે પડશે,શુ છે ખેડૂતોની રણનીતિ?


સ્ક્રીનીંગના મુખ્ય તારણો:
• પ્રિ-સ્કૂલના કુલ 1,723માંથી 43% વિદ્યાર્થીઓની પ્રાથમિક તપાસમાં આંખની દ્રષ્ટિ નબળી જોવા મળી 
• મોટાભાગના માતાપિતા તેમના કન્સલ્ટિંગ ડોક્ટર સાથે સેકન્ડરી ઇન્વેસ્ટિગેશન માટે ગયા, પ્રાથમિક તપાસના તારણોને પ્રમાણિત કર્યા અને સુધારાત્મક પગલાં લેવાનું શરૂ કર્યુ. ઘણા પ્રિસ્કૂલર્સે ચશ્મા પહેરવાનું શરૂ કર્યું
• ડોકટરોના મતે, નવી સામાન્ય જેમ કે આઉટડોર પ્રવૃત્તિઓનું ઓછું સંપર્કમાં આવવું અને ઇન્ડોર પ્રવૃત્તિઓમાં વધારો એ આંખોની નબળી દ્રષ્ટિનું મુખ્ય કારણ છે. બાળકોએ પૌષ્ટિક ખોરાકની સાથે તંદુરસ્ત આંખની દ્રષ્ટિ માટે એક કલાક સૂર્યપ્રકાશમાં રહેવું જોઈએ.
• તાજેતરના અભ્યાસ મુજબ ભારત એવી સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે જેમાં વર્ષ 2050 સુધીમાં 50% વસ્તી માયોપિક (માઈનસ નંબર) ધરાવતી હશે.


પોરબંદર જિલ્લાની હોસ્પિટલમાં લોલમલોલ, એવી વાત સામે આવી કે જાણીને તમે પણ ચોંકી જશો!


સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ શૈક્ષણિક કાર્યોની સાથે વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક સુખાકારી પર સમાન ધ્યાન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. “માતા-પિતાને આ હકીકતથી વાકેફ કરીને, અમારો ધ્યેય એ છે કે તેમને વહેલા તબક્કે સુધારાત્મક પગલાં લેવા માટે સશક્ત બનાવીએ જેથી સમસ્યાઓ વધુ ગંભીર ન બને. ગયા વર્ષના આંખ પરીક્ષણના તારણોને પગલે, શાળાએ આ વર્ષે નિષ્ણાંત બાળરોગના નેત્રરોગ ચિકિત્સકો (પીડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજીસ્ટ્સ) સાથે સહયોગ કરવાનું નક્કી કર્યું છે જેથી ચોક્સાઈપૂર્વકના પરિણામો મેળવી શકાય”.


ગુજરાતમાં હાર્ટ એટેક બન્યો જીવલેણ: એક જ દિવસમાં 2 લોકોએ ગુમાવ્યા જીવ, પરિવારને આંચકો


અભ્યાસમાં આ નાના બાળકોમાં હાલ જોવા મળેલી નબળી દ્રષ્ટિ માટે ત્રણ પ્રાથમિક કારણો જવાબદાર છે. ઘરની બહાર કરાતી અપૂરતી પ્રવૃત્તિઓ અને ઓછો સૂર્યપ્રકાશ, વધુ પડતો સ્ક્રીન સમય, ઘરની અંદર રહીને કરાતી પ્રવૃત્તિઓમાં ઝડપી વધારો અને મર્યાદિત પૌષ્ટિક ખોરાક જેવા પરિબળો આ સમસ્યાના કારણો તરીકે જાણવા મળ્યા હતા. 


PHOTOS:બાળ સિંહોની પાપા પગલી! ગંગા, જમુના અને સરસ્વતી પોતાના ભાઇ સાથે ટહેલવા નીકળ્યા
 
બાળકોની આંખની તપાસ હાથ ધરનાર અમદાવાદના પીડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજીસ્ટ અને સ્ક્વિંટ સ્પેશિયાલિસ્ટ ડો. નુતિ શાહે સમજાવ્યું હતું કે “ઘરની બહાર કરાતી પ્રવૃત્તિઓનો અભાવ અને સ્ક્રીન પર વધુ પડતી નિર્ભરતાને કારણે આ બાળકોમાં લાંબા અંતરની દ્રષ્ટિ ઝાંખી પડી છે. આપણે એવી પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યા છીએ જેમાં વર્ષ 2050 સુધીમાં 50% વસ્તી માયોપિક (માઈનસ નંબર) હશે. 


Pradosh 2023: કેરિયરમાં ઝડપથી પ્રગતિ અપાવશે રવિ પ્રદોષના આ ઉપાય, મળશે જલદી પ્રમોશન!


આવી સ્થિતિમાં પીડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજિસ્ટ દ્વારા 3 વર્ષની ઉંમરે બાળકોની ફરજિયાત આંખની તપાસ અને ત્યાર બાદ વાર્ષિક ધોરણે તપાસની ભલામણ કરવામાં આવે છે. તમારા બાળકની આંખની તંદુરસ્તી જાળવવા માટે સૂર્યપ્રકાશના યોગ્ય સંપર્કમાં રહીને ઘરની બહાર બે કલાકની આઉટડોર એક્ટિવિટી તથા સ્ક્રીન સમય અને ઈનડોર એક્ટિવિટી મર્યાદિત કરવી જરૂરી છે.