હિતલ પારેખ/ ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ( NFSU) ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલિસીસ ઓફ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સનું (Centre of Excellence for Research and Analysis of NDPS) આગામી તા 12 જુલાઈ 2021 ને સોમવારના રોજ ઉદ્ધાટન કરશે અને તેઓ યુનિવર્સિટીની વિશિષ્ટ લેબ તથા અન્ય સેન્ટરની મુલાકાત પણ લેનાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રસંગે Investigation of Crime against women સંદર્ભમાં વર્ચ્યુઅલ ટ્રેનિંગ અંગેનો કાર્યક્રમ પણ યોજાશે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા અને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના કુલપતિ, વરિષ્ઠ ફોરેન્સિક સાયન્ટિસ્ટ ડો.જે.એમ.વ્યાસ પણ ઉપસ્થિત રહેશે.


આ પણ વાંચો:- ‘અમને પણ માસ પ્રમોશન આપો’ ની માંગ સાથે અમદાવાદમાં રિપીટર્સ વિદ્યાર્થીઓએ મોરચો માંડ્યો


અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરના સેન્ટર ફોર એક્સેલન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલિસીસ ઓફ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સને માન્યતા આપવામાં આવી છે. નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી(NFSU)ના કુલપતિ ડૉ.જે.એમ.વ્યાસના માર્ગદર્શન હેઠળ નિર્માણ પામેલા આ આંતરરાષ્ટ્રીય કક્ષાના Centre of Excellence for Research and Analysis of NDPS ખાતે માદક અને તેને આનુસાંગિક દ્રવ્યોની ઓળખ અને તે અંગેનું સંશોધન કાર્ય કરવામાં આવશે.


આ પણ વાંચો:- ભુજ: વિવાદ અને ચર્ચામાં રહેતી G K હોસ્પિટલે માનવતા મહેકાવી, બિનવારસુ દર્દીની કરી સારવાર


આ સેન્ટર ફોર એક્સેલન્સ ખાતે માદક દ્રવ્યોની ઓળખ માટે અત્યાધુનિક ટેક્નોલોજી સાથેના યંત્રો રાખવામાં આવેલ છે. જેને પરિણામે ડ્રગ્સની ઓળખ ઉપરાંત વિશ્વના કયા દેશની ડ્રગ છે જેની ભારતમાં ઘૂસણખોરી થાય છે તે અંગેની જાણકારી પણ ઉપલબ્ધ થઈ શકશે. આ ઉપરાંત, ભારતભરમાંથી પ્રાપ્ત માદકદ્રવ્યો પણ અહીં લવાશે. જેનું પૃથક્કરણ કર્યા બાદ તેના નિશ્ચિત ઉદ્ભભવસ્થાન અંગે જાણી શકાશે અને તેનું પ્રોફાઈલિંગ પણ થશે. 


આ પણ વાંચો:- વલસાડમાં ખૂનીખેલ : પિયરમાં રહેતી પત્નીને પતિએ રસ્તા વચ્ચે રહેંસી નાંખી


આ સેન્ટર ઓફ એક્સેલન્સ કે જ્યાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલી એજન્સીઓ માટે ટૂંકાગાળાના તાલીમ કાર્યક્રમો પણ થશે જ્યાં પ્રશિક્ષણ પામેલા અધિકારીઓને આ સેન્ટર સર્ટિફિકેટ પણ પ્રદાન કરાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube