મુસ્તાક દલ/જામનગર: દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવમાં રાજયના અલગ-અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભકતો આવતા હોય છે ત્યારે જામનગર એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે. જેથી દ્વારકા જતા ભકતોને કોઇ આવાગમન કરવામાં કોઈ પરેશાન ન થાય અને એક સારી સુવિધા મળે તે રીતે જામનગર એસટી વિભાગ દ્વારા બસનું સંચાલન કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photos: યુક્રેનના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને શું દેખાડ્યું, એકદમ ગમગીન થઈ ગયો માહોલ


ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવ-2024ને ધ્યાને રાખી સમગ્ર ગુજરાત રાજયના અલગ-અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં મુસાફરો આવતા હોય છે જેને ધ્યાને લઇને તા. 25 થી 27 ઓગસ્ટ 2024 દરમિયાન મુસાફરોને આવાગમન માટે જામનગર એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા સંચાલન કરવાનું આયોજન કરાયું છે. 


સપ્ટેમ્બર માટે પૈસા બચાવીને રાખજો, લોન્ચ થશે આ કંપનીઓના આઈપીઓ, મળશે કમાણીની તક


આગામી તા. 25 થી 27 સુધી જામનગર ડેપોથી મુસાફરોને એકસ્ટ્રા બસોમાં એડવાન્સ બુકિંગ કરાવી શકશે તેમજ એક જ ગ્રુપના 51થી વધુ મુસાફરોને ગ્રુપ બુકિંગ કરાવશે તો એકસ્ટ્રા બસની સુવિધા એસટી નિગમ દ્વારા આપવામાં આવશે. 


શહેરો બની જશે જંગલ, રસ્તા પર દેખાશે હિંસક પ્રાણીઓ, માણસો ગાયબ થતાં જ આવશે મહાપ્રલય!


જેમાં જામનગર થી દ્વારકા, રાજકોટ, મોરબી, અમદાવાદ, જૂનાગઢ તેમજ દ્વારકા થી પોરબંદર, હર્ષદ, જામનગર, રાજકોટ, જૂનાગઢ, સોમનાથ સહિત જામનગર વિભાગની 25 બસો એક્સ્ટ્રા ટ્રાફિકને ધ્યાને લઈ ચલાવવામાં આવશે તેમ વિભાગીય નિયામક અને ડેપો મેનેજર દ્વારા જણાવાયું છે.