Asaram rape case Verdict : દુષ્કર્મ કેસમાં લંપટ આસારામ દોષિત સાબિત થયો છે. ત્યારે આજે ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને સજા સંભળાવી છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને આજીવન કારાવાસની સજા સંભળાવી છે.આ કેસમાં સરકારે આસારામને આજીવન કેદની માંગ કરી હતી. તો બચાવ પક્ષે ઓછામાં ઓછી સજા માંગી હતી. 9 વર્ષથી ચાલી રહેલા આ કેસમાં આખરે આજે ચુકાદો આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટ રૂમ માં સ્પેશિયલ સરકારી વકીલ આર. સી.કોડેકર અને આસારામના વકીલ બી.એમ.ગુપ્તા હાજર  રહ્યા હતા. તો આસારામને જોધપુર જેલમાંથી  વીડિયો કોંફરન્સના માધ્યમથી જોડવામાં આવ્યો હતો. આજે ગાંધીનગર સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ બી.કે.સોનીએ દોષિત આસારામને સજાનું એલાન કર્યુ હતું. સરકારી વકીલ આરસી કોડેકરે કોર્ટરૂમ બહાર કહ્યું કે, સજા વિશે અમારી ટીમને સાંભળ્યા બાદ નામદાર કોર્ટે 376 અને 377 કલમ અંતર્ગત આજીવન કેદ, પીડિતને 50 હજાર રૂપિયાનું વળતર, અને પાછળની 5 સેક્શનમાં એક-એક વર્ષની સજા અને નોમિનલ ફાઈન આપવાનો ઓર્ડર કર્યો છે. આજીવન કેદ બાદ મહત્તમ સજા ફાંસીની હોય છે. પ્રોસિક્યુશન આજીવન સજા બાદ ફાંસીની સજા માટે અપીલ કરતુ નથી. પરંતુ બચાવ પક્ષનો અપીલ કરવાનો અધિકાર છે. 


પેપરલીક કૌભાંડ : સરકાર લાવી શકે છે નવો કાયદો, સરવે માટે ટાસ્ક ફોર્સને અપાઈ સૂચના


અમિત ચાવડા ન ઘરના ન ઘાટના થશે : ભાજપનો મૂડ બદલાયો તો બદલી નાંખશે નેતા વિપક્ષનો કાયદો


શું હતો આખો કેસ
વર્ષ 2013માં સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને તેમના પિતા આસારામ પર બળાત્કાર મામલે ફરિયાદ દાખલ કરી હતી. આ બંનેમાંથી નાની બહેને ફરિયાદમાં કહ્યું હતું કે, નારાયણ સાંઈએ વર્ષ 2002થી 2005ની વચ્ચે તેમના પર વારંવાર બળાત્કાર ગુજાર્યા હતા. યુવતીના કહેવા પ્રમાણે તેઓ જ્યારે આસારામના સુરતમાં આવેલાં આશ્રમમાં રહેતાં હતાં ત્યારે તેમની સાથે આ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. તો મોટી બહેને ફરિયાદમાં આસારામ વિરુદ્ધ બળાત્કારના આરોપો કર્યા હતા. તેના કહેવા પ્રમાણે તેઓ 1997થી 2006 વચ્ચે અમદાવાદમાં આવેલા આસારામના આશ્રમમાં રહેતાં હતાં. આ સમયગાળા દરમિયાન આસારામે તેમના પર વારંવાર બળાત્કાર ગુજાર્યા હતા. બંને બહેનોએ પિતા-પુત્ર સામે અલગ-અલગ ફરિયાદો નોંધાવી હતી. જે બાદ પોલીસે નારાયણ સાંઈ સામે બળાત્કાર, જાતીય હુમલો, ગેરકાયદે કેદ કરી રાખવા અને અન્ય ગુનાઓ નોંધ્યા હતા. ઉલ્લેખનીય છે કે 6 ઑક્ટોબર, 2013ના રોજ નારાયણ સાંઈ દ્વારા સુરતના જંહાગીરપુરા આશ્રમ સ્થિત દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ થઈ હતી.  2018 માં રેપ અને અન્ય આપરાધો હેઠળ આસારામને આજીવન કારાવાસની સજા થઈ હતી. ત્યારબાદ જેલમાં બંધ આસારામ બાપૂને કોર્ટ પાસેથી જામીનની માંગ કરી હતી.


છેલ્લાં 10 વર્ષથી જેલમાં છે આસારામ
અગાઉ જામીનની અરજીમાં આસારામે કહ્યું કે છેલ્લાં 10 વર્ષથી તે જેલમાં બંધ છે. તેમની ઉંમર 80 વર્ષથી ઉપર થઇ ચૂકી છે. તે ગંભીર બિમારીઓથી પીડિત છે. સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજી પર સહાનુભૂતિ પૂર્વક વિચારી તેમની જામીનનો આદેશ જાહેર કરે જેથી તે પોતાનો યોગ્ય ઇલાજ કરાવી શકે.


આ પણ વાંચો : પેપરલીક કૌભાંડની આવી હતી મોડસ ઓપરેન્ડી : 5 લાખમાં બહાર આવેલી એક ઝેરોક્ષ 12 લાખની થઈ