Bageshwar Baba: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના ગુજરાત પ્રવાસની શરૂઆત સુરતથી કરશે. સુરત, અમદાવાદ અને રાજકોટમાં યોજાનાર તેમના દિવ્ય દરબારમાં સત્તાધારી ભાજપના નેતાઓ હાજર રહે તેવી શક્યતાઓ છે. સુરતના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ખુદ હાજર રહી શકે છે. તો બીજી તરફ બાબાની મુલાકાતને લઈને ગુજરાત કોંગ્રેસમાં ભાગલા સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  Government Job: ગુજરાતમાં બદલાઈ ગયા સરકારી ભરતીના નિયમો, જાણો પરીક્ષાની નવી પેટર્ન
આ પણ ખાસ વાંચોઃ  વર્ગ-3ની ભરતી માટે ગુજરાત સરકારે જાહેર કર્યું પરીક્ષાનું નવું માળખું, જાણો નવો નિયમ
આ પણ ખાસ વાંચોઃ  અંબાલાલ તો આગાહી કરતા કરશે, વૈજ્ઞાનિકોએ કહી દીધું આ વખતે આખુ વર્ષ રડાવશે અલ નીનો

 
ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને ગુજરાત કોંગ્રેસના અલગ-અલગ સૂર-
બાગેશ્વર ધામ સરકારના પ્રમુખ ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાતને લઈને ગુજરાતમાં એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે ત્યારે બીજી તરફ ગુજરાત કોંગ્રેસ આ મુદ્દે બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. અંબાજીમાં મોહનથાલ પ્રસાદના મુદ્દે ભાજપને બેકફૂટ પર ધકેલનાર રાજ્યના મીડિયા કન્વીનર હેમાંગ રાવલ બાગેશ્વર બાબાને સાક્ષાત હનુમાનનો અવતાર માની રહ્યાં છે. પાર્ટીથી અલગ અભિપ્રાય રાખતા હેમાંગ રાવલે કહ્યું છે કે તેમને બાગેશ્વર બાબામાં ઘણી શ્રદ્ધા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા કમલનાથ પણ મુલાકાતે જાય છે. રાવલના નિવેદનના વિરોધમાં ગુજરાત કોંગ્રેસે કહ્યું છે કે છેલ્લી બે લોકસભા ચૂંટણી જીત્યા બાદ પણ ભાજપે તેના વચનો પૂરા કર્યા નથી. તો શું બાબાઓના દિવ્ય દરબારો આ જ વ્યૂહરચના હેઠળ ગોઠવવામાં આવી રહ્યા છે?


આ પણ ખાસ વાંચોઃ  અહીં 8 પત્નીઓ સાથે બિરાજમાન છે શનિદેવ, દર્શનથી થાય છે બેડોપાર, ક્યાં આવેલું છે મંદિર
આ પણ ખાસ વાંચોઃ  વાવાઝોડામાં પણ અહીં અડીખમ ઊભી છે વરિયાળી! શિક્ષક કે અંજીર અને સફરજનની પણ કરી છે ખેતી
આ પણ ખાસ વાંચોઃ  મધ જેવા મીઠા ચીકુએ લઈ લીધો સુરતના ખુબસુરત બાળકનો જીવ, ચીકુ ખાતા ક્યારેય ન કરતા આ ભૂલ


કોંગ્રેસે અનેક સવાલો કર્યા-
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું છે કે મનીષ દોશીએ કહ્યું હતું કે 2014 પહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન રામદેવ બાબાએ જોરદાર રીતે કહ્યું હતું કે કાળું નાણું પાછું આવશે અને દેશના નાગરિકોને ફાયદો થશે, પરંતુ ઘણા કૌભાંડીઓ કરોડો અને અબજો રૂપિયાનું સફેદ નાણું લઈને ભાગી ગયા હતા. 2014-2019ની લોકસભા ચૂંટણી પહેલા અણ્ણા હજારે, બાબા રામદેવ અને અન્ય આંદોલનો થયા હતા. 2019માં ભાજપે બાબા રામદેવ, શ્રી શ્રી રવિશંકર દ્વારા સત્તા મેળવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) ના પ્રવક્તા ડૉ. અમિત નાયકે ટ્વીટ કર્યું કે બાબા બાગેશ્વર 2024નું વાતાવરણ બનાવી રહ્યા છે. નાયકે પૂછ્યું છે કે બાબા બાગેશ્વર અમારો પ્રશ્ન ઉકેલે અને જણાવે કે અદાણીની સેલ કંપનીમાં આ 20 હજાર કરોડ કોના છે? નાયકે બાબા બાગેશ્વરને કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયમાં પણ આમંત્રણ આપ્યું છે.


આ પણ ખાસ વાંચોઃ  બાયડી બાયડી કહીને બોલાવતા અમદાવાદનો એન્જિનિયર બગવાયો! કહ્યું અટક એવી છે હું શું કરું
આ પણ ખાસ વાંચોઃ  એક છોકરો અચાનક કઈ રીતે બની ગયો હાઈપ્રોફાઈલ બાગેશ્વર સરકાર? જાણો કેવી છે લાઈફસ્ટાઈલ
આ પણ ખાસ વાંચોઃ  શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?
આ પણ ખાસ વાંચોઃ  પત્નીએ કહ્યું તમતમારે મોજ કરાવે એવી બીજી લઈ આવો, રંગીલો પતિ સાચુકલી બીજી લઈ આવ્યો


મહાનગરપાલિકાએ લીલી ઝંડી આપી-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ અમદાવાદમાં 29 અને 30 મેના રોજ યોજાનાર બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર માટે આયોજકોને મંજૂરી આપી છે. આ ઉપરાંત ઘાટલોડિયાના ચાણક્યપુરી ખાતે યોજાનાર કાર્યક્રમ માટે પણ મહાનગરપાલિકા દ્વારા સુવિધા પુરી પાડવામાં આવશે. અમદાવાદ કાર્યક્રમમાં એક લાખ લોકોની ક્ષમતા સાથે દિવ્ય દરબારનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તો સુરતમાં યોજાનાર બાબા બાગેશ્વરના પ્રથમ દિવ્ય દરબારમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ભાગ લઈ શકે છે.