Arvalli News સમીર બલોચ/અરવલ્લી : અરવલ્લીના કોંગ્રેસના મોટા નેતાઓ જોડાયા ભાજપમાં..સી. આર. પાટીલની હાજરીમાં કેસરિયા કર્યા. દાયકાઓ જૂના કાર્યકર્તાઓએ લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસનો સાથ છોડ્યો. જેમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને પણ ભાજપમાં ફરીથી એન્ટ્રી મળી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું. પરંતું ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની બાયડના ધારાસભ્યને સાનમાં સૂચના આપી છે. તેઓએ કહ્યું કે, મતવિસ્તારના લોકોને હેરાન ન કરવાનું કહી, શાંતિથી પાર્ટી સાથે જોડાયેલા રહેવાની ટકોર કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવલ્લીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને આવકારતા સી.આર.પાટીલનું ધવલસિંહ ઝાલા અંગે મોટું નિવેદન આપ્યું. તેમણે ધવલસિંહ ઝાલાને કહ્યું કે, હવે પાર્ટીમાં ગુંદર ચોંટાડીને રહેજો. બાયડના લોકોને હેરાન કરતાં નહીં. શાંતિથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલાં રહો. મહત્વનું છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ધવલસિંહ ઝાલા અપક્ષમાંથી ઉભા રહ્યા હતા અને બાયડની બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. જોકે ધવલસિંહ ત્યારબાદ અનેકવિધ કાર્યક્રમમાં ભાજપના ખેસ સાથે કાર્યક્રમમાં જોવા મળતા હતા. ધવલસિંહ ઝાલાનો અત્યાર સુધીનો રાજકીય કાર્યકાળ ભારે ઉતારચઢાવ વાળો રહ્યો છે. 


અરવલ્લીમાં ભાજપે ખેલ પાડ્યો : 40 વર્ષથી જોડાયેલા કાર્યકરોએ કોંગ્રેસને રામ રામ કર્યા


કાર્યક્રમની શરુઆતે જ ધવલસિંહ ઝાલાને ટકોર કરતા અધ્યક્ષ પાટીલે કહ્યુ હતુ કે, તમારાથી કાર્યકરો નારાજ છે. હવે ગુંદર ચોંટાડીને રહેજો. કાર્યકરોની નારાજગી દૂર કરવા માફી માંગવા માટે કહ્યું હતું. બાયડના અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપથી નારાજ થઈને અપક્ષ ચૂંટાયા હતા. જેને લઈ હવે આ નારાજગી કાર્યકરોમાંથી દૂર કરવા માટે ટકોર કરી હતી. કાર્યક્રમ દરમિયા સીઆર પાટીલે કહ્યું કે, હવે પાર્ટીમાં ગુંદર ચોંટાડી રહેજો. બાયડના લોકોને વિતાડતાં નહીં. શાંતિથી પાર્ટી સાથે જોડાયેલા રહો. 


વાલીઓ નાઈટ ડ્રેસ કે ટૂંકાં કપડા પહેરી નહિ આવી શકે, ગુજરાતના આ શહેરમા મૂકાયો પ્રતિબંધ


અરેરાટી થઈ જાય તેવા CCTV : અમદાવાદમા ગાયનો મહિલા પર હુમલો, 9 ગાય હુમલો કરવા દોડી આવી


ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અલ્પેશ ઠાકોરના પગલે અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયાં હતાં. ભાજપે આ ચૂંટણીમાં ટીકિટ કાપતાં જ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને ભાજપમાંથી રાજીનામુ આપ્યુ હતુ અને બાયડથી ચૂંટણી જીત્યા હતા. ચૂંટણીમાં જીત બાદ ધવલસિંહે ઝાલાએ ભાજપને સમર્થન આપ્યુ હતું. જોકે, પક્ષમાં આવવા તેઓએ અનેક ધમપછાડા કર્યા હતા, ત્યારે આજે તેમની મહેનત રંગ લાવી છે અને ભાજપે તેમને ખેસ પહેરાવી પોતાના કર્યા. પરંતુ તેઓ પાટીલના વેધક શાબ્દિક બાણથી ન બચી શક્યા. 


રાજકીય વર્તુળોમાં શંકર ચૌધરીની ચર્ચા, E-વિધાન પ્રોજેક્ટને સફળ બનાવી બીજું શું લાવશે?