Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બાદ રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ચૂંટણી લડવા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપીને ખળભળાટ મચી જવા પામ્યો છે. લોકસભાની ચૂંટણીને લઈ કુંવરજી બાવળિયાએ સ્પષ્ટતા કરી છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કુંવરજી બાવળિયાના નામની લોકોમાં ચર્ચા થતી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ભાજપના ઉમેદવાર બનવાની રેસમાં કોણ ચાલી રહ્યું છે સૌથી આગળ? આ છે સંભવિત યાદી


રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા ગઢડાના રામપરા ગામથી મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, આ કામ મારા કોઈ શત્રુનું હોઈ શકે, હું લોકસભા ચૂંટણી લડવા માગતો નથી. આ નિવેદનથી સુરેન્દ્રનગર લોકસભામાં કુંવરજી બાવળિયાનામની ચર્ચાનો અંત આવ્યો છે.


'મારી સાથે ઈમોશનલ ગેમ રમાઈ છે, મારી અંતિમવિધિ PI ખાચર જ કરે', આ કહાની રોવડાવી દેશે!


રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર લડવાની ચર્ચા અંગે સ્પષ્ટતા કરી છે. બોટાદના ગઢડા તાલુકાના રામપરા ગામે ખાત મુહૂર્ત પ્રસંગમાં આવેલા કુંવરજી બાવળિયાએ લોકસભા ચૂંટણી અંગે જણાવ્યુ હતુ કે, મારા હિતશત્રુઓએ આ અફવા ચલાવી છે. 


કાઠું કાઢે ઈ ગુજરાતી! જાણો ભાવનગરના 3 ફુટના ડોક્ટરની કહાની, આજે વિશ્વમા લેવાય છે નોધ


પરંતુ હું જણાવી દવ છું કે, પાંચ વર્ષ લોકસભામાં જઈ આવ્યો હોવાથી લોકસભા ચૂંટણી લડવા માગતો નથી. પક્ષના હાઈ કમાન્ડને પણ લોકસભા ચૂંટણી નહી લડવાની જાણ કરી દીધી છે. તેથી સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કુંવરજી બાવળિયાની ચૂંટણી લડવાની ચર્ચાનો અંત આવ્યો છે.