'મારી સાથે ઈમોશનલ ગેમ રમાઈ છે, મારી અંતિમવિધિ PI ખાચર જ કરે', આ ઘટનાની કહાની રોવડાવી દેશે!

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં એક મહિલા ડોક્ટરે આપઘાત કર્યાની ઘટના સામે આવી.યુવતિ ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં અધિકારીને મળવા આવ્યા હતા તે દરમિયાન તેનું મોત થયું. આથી ગાયકવાડ હવેલી પોલીસે મહિલા ડોક્ટરના મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી.

'મારી સાથે ઈમોશનલ ગેમ રમાઈ છે, મારી અંતિમવિધિ PI ખાચર જ કરે', આ ઘટનાની કહાની રોવડાવી દેશે!

ઝી બ્યુરો/અમદાવાદ: તારીખ 6 માર્ચે અમદાવાદ ક્રાઈમબ્રાંચ એટલે કે હવેલીના પ્રાંગણમાં એક યુવતિ છેલ્લા કેટલાક કલાકોથી એક જ સ્થતિમાં બેઠેલી હતી. જેની શંકા જતા પોલીસ દ્વારા જ્યારે ચેક કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે મહિલા મૃત્યુ પામી છે, અને એની પાછળ જવાબદાર હતું એક પીઆઈ સાથેનું પ્રેમ પ્રકરણ.. ત્યારે શા માટે એક યુવતીએ મોત માટે પસંદ કર્યું ક્રાઈમ બ્રાંચનું પ્રાંગણ.

  • અમદાવાદ ક્રાઈમબ્રાંચના બાંકડા ઉપર યુવતીની લાશ
  • કલાકો સુધી કેમ લાશ પડી રહી બાંકડા પર
  • પ્રેમમાં ગળાડૂબ યુવતીએ કર્યો આપઘાત
  • એક PI સાથેનો પ્રેમ સંબંધ બન્યો મોતનું કારણ
  • અંતિમવિધિ પ્રેમી જ કરે તેવી યુવતીની અંતિમ ઈચ્છા

કલાકો સુધી કેમ લાશ પડી રહી બાંકડા પર
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં એક મહિલા ડોક્ટરે આપઘાત કર્યાની ઘટના સામે આવી.યુવતિ ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં અધિકારીને મળવા આવ્યા હતા તે દરમિયાન તેનું મોત થયું. આથી ગાયકવાડ હવેલી પોલીસે મહિલા ડોક્ટરના મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન મૃતક પાસેથી એક સુસાઈડ નોટ તેમજ એક ડાયરી મળી આવી હતી. જેમાં આર્થિક ગુના નિવારણ શાખાના PI બી.કે ખાચર અને મહિલા ડોક્ટર વચ્ચે પ્રેમસંબંધ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

પ્રેમમાં ગળાડૂબ યુવતીએ કર્યો આપઘાત
યુવતીનું નામ વૈશાલી જોશી છે અને તે ખાનગી હોસ્પિટલમાં તબીબ તરીકેની ફરજ નિભાવતી...સુસાઈડ નોટમાં લખ્યું છે કે, મારી સાથે ઈમોશનલ ગેમ રમાય છે. હું જે પગલાં ભરવા જઇ રહી છું તેના માટે બી.કે. ખાચર જવાબદાર છે. મારા મોત બાદ અંતિમવિધિ બી.કે. ખાચર જ કરે તેવી મારી ઈચ્છા છે. યુવતિ મૂળ મહીસાગર જિલ્લાના વીરપુર પાસેના ડેભારી ગામની વતની અને અપરિણીત હતી. તે શિવરંજની ખાતે પીજીમાં રહી છેલ્લા પાંચ વર્ષથી ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સેવા આપતી હતી. બી.કે. ખાચર સાથે પ્રેમસંબંધમાં વિક્ષેપ પડતા ડો. વૈશાલી થોડાક સમયથી ડિપ્રેશનમાં હતી તેવું તેણે સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. ડો.વૈશાલીએ પોતાના હાથ પર ઇન્જેક્શન મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. 

એક PI સાથેનો પ્રેમ સંબંધ બન્યો મોતનું કારણ
આત્મહત્યા માટે જવાબદાર ક્રાઈમ બ્રાન્ચને અડીને આવેલા ઇકોનોમિક ઓફેન્સ વિંગના પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ખાચરને તેણે જવાબદાર ગણાવ્યા છે. બી.કે. ખાચર હાલ ભૂગર્ભમાં છે તેમની સાથે કોઈજ સંપર્ક નથી થઈ શક્યો. તો મૃતક પાસેથી મળેલી ડાયરીમાં બી.કે. ખાચર અને તેની વચ્ચેના જ સંબંધોની વાત છે.તેઓ છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધમાં હોવાનું સ્યુસાઈડ નોટમાં જણાવવામાં આવ્યું છે. તો પરિવારના સભ્યોની આ યુવતીએ માફી માગી છે. આ સમગ્ર બાબતે પોલીસ તપાસમાં લાગી છે. અને જો યુવતીનો પરિવાર તૈયાર થશે તો આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર સામે ગુનો નોંધવાની પણ તૈયારી શહેરના ઉચ્ચ અધિકારીઓએ દર્શાવી દીધી છે.

15 પેજની સુસાઈડ નોટમાં પ્રેમસંબંધ હોવાના ખુલાસો
પ્રેમમાં બનેલો અણબનાવ યુવતિના પરિવાર માટે પણ કારમો ઘા સાબિત થયો છે. મૃતકના પિતાનું અવસાન થયું છે. તેમજ તેને માતા અને 2 બહેનો હોવાનું ખુલ્યું છે. જેમાં એક બહેન વડોદરા અને એક કેનેડા છે. આ મહિલાના મોત બાદ 15 પેજની સુસાઈડ નોટમાં પ્રેમસંબંધ હોવાના ખુલાસા થયા છે. આ મુદ્દે પોલીસ અધિકારીઓએ મૌન સેવ્યું છે. પોલીસે સુસાઈડ નોટ કબજે કરી PI વિરુદ્ધ ગુનો નોંધવાની પણ તજવીજ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news