અમદાવાદઃ બિપરજોય વાવાઝોડું સતત ગુજરાતના દરિયાકાંઠે આગળ વધી રહ્યું છે, ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોનું હવામાન તે પહેલા જ વાવાઝોડાની તીવ્રતાની ચાડી ખાય છે. દરિયામાં ઉછળતા મોજા અને તોફાની પવનોએ અત્યારથી જ જીવલેણ સ્વરૂપ લઈ લીધું છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં રહેવું મોતને આમંત્રણ આપવા સમાન સાબિત થઈ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરિયામાં ઉછળતા ઉંચા મોજા, કાંઠા તરફ આવતા મોજાનો વધેલો વેગ અને સુસવાટા મારતા પવનો, આ તમામ પરિબળો તેની પાછળ આવતા વિકરાળ વાવાઝોડાના સંદેશાવાહક છે. 


વાવાઝોડું ત્રાટકવાને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવઝોડાની અસર વર્તાઈ રહી છે. ભારે કરંટને કારણે દ્વારકામાં દરિયામાં 10થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે, જેને જોતાં દ્વારકાની ઓળખ સમો ગોમતી ઘાટ બંધ કરાયો છે. કાંઠે રહેતા બે હજારથી લોકોનું  સ્થળાંતર કરાયું છે.


બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ બંદરે ત્રાટકવાની આગાહી છે, ત્યારે જખૌના કાંઠે વાવાઝોડાની અસર પણ દેખાઈ રહી છે. ધૂળની ડમરીઓ સાથે દરિયામાં કરન્ટ વધ્યો છે. કાંઠા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાયું છે. બોટને સલામત જગ્યાએ ખસેડાઈ છે. કચ્છ માટે તંત્ર સૌથી વધુ એલર્ટ મોડ પર છે..


Biporjoy: સંકટ સામે સરકારની તૈયારી, દરિયાકાંઠાના જિલ્લાઓમાં NDRFની ટીમો ખડે પગે


કુદરતી આફત સામે લોકો કુદરતને ભરોસે થઈ જાય છે. વ્યક્તિની આસ્થા પ્રબળ બની જાય છે. તેના જ ભાગરૂપે દેવભૂમિ દ્વારકાના દ્વારકાધીશ મંદિરે એકસાથે બે ધજા ચઢાવાઈ છે. મંદિરના સદીઓના ઈતિહાસમાં આમ પહેલી વાર બન્યું છે, જ્યારે એકસાથે બે ધજા ચઢાવવામાં આવી છે. સલામતીના ભાગરૂપે મુખ્ય ધજાને અડધી કાઢીએ પણ ફરકાવવામાં આવી છે. ભૂતકાળની કુદરતી આફતોનો જોતાં આ વખતે પણ લોકોને વિશ્વાસ છે કે દ્વારકાધીશ દ્વારકાને આંચ નહીં આવવા દે.


ગુજરાત માટે આવતા 3 દિવસ નિર્ણાયક છે. જો વાવાઝોડું ફંટાઈ જશે તો મોટી ઘાત ટળશે અને ત્રાટકશે, તો તંત્ર અને લોકોની પરીક્ષા થશે. 


વાવાઝોડાના તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube