Gandhinagar News ગાંધીનગર : ટેટ અને ટાટ પાસ ઉમેદવારોનો વિરોધ હવે ઉગ્ર બની રહ્યો છે. આજે સ્વર્ણિમ સંકુલ 1 પહોંચી ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે ઉમેદવારોએ વિરોધ કર્યો હતો. હાથમા પોસ્ટર્સ લઈ ઉમેદવારો સ્વર્ણિમ સંકુલ પર પહોંચ્યા હતા. ઉમેદવારો પોતાની રજૂઆત કરવા પહોંચ્યા હતા. પોલીસે ઉમેદવારોની અટકાયત કરી હતી. ત્યારે આ બાદ ગુજરાત સરકારે TAT પાસ ઉમેદવારોની ભરતીની જાહેરાત કરી છે. TAT-1 અને 2 માં 7500 શિક્ષકોની ભરતી કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં ટેટ અને ટાટને લઈ મહત્વની અને ઉમેદવારોને ઉપયાગી થાય તેવી જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતુ કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે. રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. તેમણે વધુમાં કહ્યું કે, TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.  


વધુ વિગતો આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં 3250 એમ મળીને TAT-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. તાજેતરમાં 1500 જેટલા HMAT પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે. 


સંજય મારો નહિ તો કોઈનો નહિ થાય : સંજયને રૂપરૂપની અંબાર સમાન કાકી સાથેના પ્રેમમાં મોત


બાલાજી વેફરમાંથી નીકળ્યો દેડકો, પેકેટ ફૂડ ખાતા હોવ તો ચેતી જજો