બાલાજી વેફરમાંથી નીકળ્યો દેડકો, પેકેટ ફૂડ ખાતા હોવ તો ચેતી જજો

Frog Found From Balaji Wafer : જામનગરમાં વેફરના પેકેટમાંથી દેડકો નીકળવાની ફરિયાદ બહાર આવી છે. બાલાજી કંપનીના પેકેટમાંથી મરેલો દેડકો મળ્યો છે. આ ઘટના બહાર આવતાં સ્થાનિક આરોગ્ય વિભાગ દોડતું થયું છે. 

બાલાજી વેફરમાંથી નીકળ્યો દેડકો, પેકેટ ફૂડ ખાતા હોવ તો ચેતી જજો

Jamnagar News : આજકાલ બહારની ખાણીપીણી લોકોના સ્વાસ્થય માટે જોખમી બની છે. હવે જામનગરમાં વેફરના પેકેટમાંથી દેડકો નીકળ્યો છે. જામનગરમાં જાસ્મીન પટેલ નામના વ્યક્તિએ બાલાજી વેફરનું પેકેટ ખરીદ્યું હતું. વેફરના પેકેટમાંથી દેડકો નીકળતા ચકચાર મચી ગઈ છે. ઘટના સામે આવતા મહાનગરપાલિકાની ફૂડ શાખા દોડતી થઈ છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. ગુજરાતની લોકપ્રિય બ્રાન્ડની વેફરમાંથી દેડકો નીકળતા અનેક સવાલ ઉઠ્યા છે. 
 

જગદીશની ભાખરવડીને ફૂગ લાગી
વડોદરામાં પ્રખ્યાત શ્રી જગદીશ ફરસાણમાંથી ખરીદેલી ભાખરવડીના પેકેટ બાદ ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. ગ્રાહકે વડોદરાની શ્રી જગદીશમાંથી ભાખરવડી ખરીદી હતી. ઘરે જઈને જોયુ તો ભાખરવડીનું બોક્સ અંદરથી ફૂગવાળું હતું. વડોદરાના ST ડેપો પાસે  શ્રી જગદીશ ફરસાણની દુકાન આવેલી છે. ત્યારે જાગૃત ગ્રાહકે આ બાબતે ફરિયાદ કરી છે. 

લોકોના આરોગ્ય સાથે ચેડા
છેલ્લાં કેટલાક સમયથી રાજ્યભરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યાં છે. ક્યાંક ભેળસેળવાળો ખોરાક, તો ક્યાંક ફૂડમાં જીવાત નીકળવાના કિસ્સા બની રહ્યાં છે. ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા ઘણા સમયથી ફૂડમાંથી જીવાત, ગરોળી અને ફૂગ નીકળવાની ઘટનાઓ બનવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. આ માટે જાગૃત નાગરિકો ફરિયાદ કરીને તેને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. આવી ઘટનાઓથી આરોગ્ય વિભાગની કાર્યવાહી પર સવાલો ઉઠ્યા છે. કેટલાક દિવસોથી ખાવાની વસ્તુઓમાંથી જીવ જંતુઓ નીકળવાના કેસોમાં ખાસ્સો વધારો થયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news