હેમલ ભટ્ટ/ગીર સોમનાથ :દીવના વણાંકબારા નજીક 40 નોટિકલ માઈલ દૂર દરિયામાં બોટે જળસમાધિ (Boat Sink) લીધી છે. દરિયામાં ભારે પવનના કારણે મોજા ઉછળ્યા હતા અને દરિયાનું પાણી બોટમાં ભરાઈ ગયું હતું. જેને પગલે બોટ ડૂબી ગઈ હતી. શિવ પરમાત્મા નામની બોટ માછીમારો (Fishermen) ના નજર સામે જ દરિયામાં સમાઈ ગઈ હતી. ત્યારે બોટમાં સવાર 8 ખલાસીઓના બચાવમાં અન્ય બોટ દોડી આવી હતી અને તમામ આઠ માછીમારોને ડૂબતા બચાવી લીધા હતા. આમ, બોટની જળસમાધિમાં માછીમારોનો જીવ બચ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બદલાતા મોસમના મિજાજે તો ભારે કરી, કાતિલ ઠંડી વચ્ચે વરસાદની આગાહી


દરિયામાં ઠંડા પવનોનું જોર વધ્યું
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે દરિયો માછીમારો માટે ઘાતક સાબિત થયો છે. દરિયામાં ઠંડા પવનોનું જોર વધ્યું છે, જેને કારણે માછીમારોને માછીમારી કરવામાં અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. દરિયો હજી કેટલાનો ભોગ લેશે તેવુ ટેન્શન તેઓને સતત સતાવી રહ્યું છે. પરંતુ બીજી તરફ, પેટિયુ રળવા માટે અને માછીમારી કરવા દરિયામાં જવા સિવાય તેમની પાસે કોઈ ઓપ્શન નથી. 


Exclusive : ગુજરાતના બાળકોનું ભવિષ્ય પસ્તીમાં રઝળતુ મળ્યું, બોર્ડની સામગ્રીઓ ભંગારના ગોડાઉનમાંથી મળી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....