સંદીપ વસાવા/કડોદરા: સુરતના કડોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા GRD જવાનની કરપીણ હત્યા કરી નાખવામાં આવી છે. ગઈકાલે સાંજે પોતાના ઘર નજીક પોતાની ઈંડાની લારી પર ચપ્પુના ઘા ઝીંકી અજાણ્યા ઈસમોએ હત્યા કરી નાખી હી. હત્યા કોણે કરી અને હત્યા પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. સમગ્ર હત્યા બનાવ બાબતે પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોના કરતાં મોંઘી બની અયોધ્યાની જમીન, 1 એકરનો ભાવ અધધ...આ ક્ષેત્રોમાં વધશે નોકરીઓ


કડોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા GRD જવાન કિશન રાઠોડની ગઈકાલે સાંજના સમયે ઘર નજીક પોતાની ઈંડાની લારી પર હત્યા કરી નાખવામાં આવી હતી. સાંજના સમયે કિશન પોતાની ઈંડાની લારી પર કામ કરી રહ્યો હતો. દરમ્યાન 2થી 3 મોટર સાયકલ પર ચારથી પાંચ અજાણ્યા ઈસમો આવ્યા હતા. જે પેકીના બેથી ત્રણ ઈસમો બાઇક પરથી ઉતરીને ઈંડાની લારી પર ગયા હતા. પહેલા તો કિશનને લાકડાનો સપાટો મારી નીચે પડી દીધો હતો. બાદ માં કિશને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જોકે હલ્લો થતા આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો બાઇક પર બેસીને ફરાર થઇ ગયા હતા. કિશન રાઠોડ છેલ્લા ઘણા સમયથી કડોદરા પોલીસમાં GRD જવાન તરીકે ફરજ બજાવતો હતો અને બિલકુલ નિર્વિવાદીત અને સેવાભાવી સ્વભાવનો હોવાનું નજીકના લોકો પાસે જાણવા મળ્યું હતું.


રામ મંદિર જેવી મૂર્તિ છે ગુજરાતમાં...ભારતમાં માત્ર 2 મૂર્તિ એવી હશે જેમાં દશાવતાર...


પરિવારજનો પણ અચાનક બનેલી આ ઘટનાને માનવા તૈયાર નથી. એમના માતાએ પણ કિશનની કોઈ સાથે દુષ્મની કે અણબનાવ નહિ હોવાનું જણાવ્યું હતું. જોકે મોટને લાઇ શેઢાવ ગામ આખું શોકમગ્ન બની ગયું હતું. જોકે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા કડોદરા પોલીસ, જિલ્લા એલસીબી તેમજ એસઓજીની ટિમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હુમલાખોરોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. 


ખેરાલુમાં રામની શોભાયાત્રા પર પથ્થરમારો! 10 રાઉન્ડ ટિયરગેસ છોડ્યા, હાલ સ્થિતિ કાબૂમા