ઝી બ્યુરો/અમદાવાદ: RERAની સેન્ટ્રલ એડવાઇઝરી કાઉન્સિલના સભ્ય અભય ઉપાધ્યાયે હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલયને બિલ્ડરોની મનમાનીથી ઘર ખરીદનારાઓને બચાવવા માટે બિલ્ડર-બાયર એગ્રીમેન્ટમાં ફરજિયાત એક્ઝિટ ક્લોઝની જોગવાઈ કરવા જણાવ્યું છે. ઉપાધ્યાય ઘર ખરીદનારાઓની સૌથી મોટી સંસ્થા ફોરમ ફોર પીપલ્સ કલેક્ટિવ એફર્ટ (FPCA)ના પ્રમુખ પણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કડીવાસીઓને આજનો દિવસ હંમેશાં યાદ રહેશે! 9 લોકોનો અવાજ હંમેશાં દબાઈ ગયો, PMOએ સહાય


તેમણે મંત્રાલયને રેરાના અધિકારીઓને આ જોગવાઈને બિલ્ડર-બાયર એગ્રીમેન્ટમાં સામેલ કરવા સૂચના આપવા જણાવ્યું છે. રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટ એટલે કે RERAમાં સુધારા અંગેની ચર્ચાઓ વચ્ચે ઉપાધ્યાયે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયને એક પત્ર લખીને એવા લોકોની સમસ્યાઓનો મુદ્દો ઉઠાવ્યો છે, જેમણે ઘર ખરીદવાનું પોતાનું સપનું વચ્ચે છોડવું પડે છે. 


આ આગાહી સાચી પડી તો...! દિવાળી પહેલા ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદનો ભયાનક રાઉન્ડ


ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર તે આશ્ચર્યજનક છે કે બિલ્ડર-ખરીદનાર કરારમાં ગ્રાહકો માટે કરારમાંથી બહાર નીકળવાની કોઈ જોગવાઈ નથી. જેના કારણે તેઓ બિલ્ડરોની મનમાનીનો ભોગ બની રહ્યા છે. તેણે એક કેસનું ઉદાહરણ પણ આપ્યું જેમાં ફ્લેટ કેન્સલ થવાને કારણે ખરીદનારને ડિપોઝિટની 75 ટકા રકમ ગુમાવવી પડી હતી.


જો તમે ગોલ્ડ લોન લેવા જઈ રહ્યા છો તો આ વાતોનું રાખજો ખાસ ધ્યાન, મુશ્કેલીમાં ફસાઈ જશો


કેન્દ્ર સરકારને લખેલા પત્રમાં ઉપાધ્યાયે કહ્યું છે કે જો બિલ્ડરોની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થાય છે તો તેમને NCLT જેવા પ્લેટફોર્મનો સંપર્ક કરવાનો અધિકાર છે, પરંતુ ખરીદનાર પાસે તેમના પૈસા બચાવવાનો કોઈ રસ્તો નથી. તેમને એવી સુવિધા મળવી જોઈએ કે જો તેને નોકરી ગુમાવવા કે અન્ય કોઈ સમસ્યાને કારણે ફ્લેટ કેન્સલ કરવો પડે તો તેને આર્થિક નુકસાન ન ભોગવવું પડે.


દશેરાએ કડીમાં મોટી દુર્ઘટના, ભેખડ ઘસી પડતા 9 મજૂરોના મોત, પરિવારોમાં માતમ


રેરામાં કહેવાયું છે કે જો ડેવલપર તેની ખામીને કારણે ફ્લેટનું પઝેશન ન આપી શકે તો તેણે નુકસાની સાથે ગ્રાહકને પૈસા પરત કરવા જોઈએ, પરંતુ એવી પણ સ્થિતિ આવી શકે છે કે ગ્રાહકે પોતાનો ફ્લેટ રદ કરવો પડે. જો કોઈ વ્યક્તિ ફ્લેટ બુક કરે તો તેણે દરેક કિંમતે હપ્તો ચૂકવવો પડે તે કુદરતી ન્યાયની વિરુદ્ધ છે. FPCA એ સૂચન કર્યું છે કે જો ત્રણ મહિનાની અંદર એલોટી દ્વારા ફ્લેટ કેન્સલ કરવામાં આવે, તો 15 દિવસની અંદર તેને સંપૂર્ણ પૈસા પરત કરવામાં આવે. જો ફ્લેટ ત્રણ મહિના પછી કેન્સલ કરવામાં આવે છે, તો ડેવલપરે જમા નાણાં પર બેંક વ્યાજ દર બાદ કર્યા પછી એક મહિનાની અંદર ચુકવણી કરવી જોઈએ.