બ્રિજેશ દોશી, અમદાવાદ: ગુજરાતની બે બેઠકોની રાજ્યસભાની ચૂંટણીની આજે કેન્દ્રીય ચૂંટણીપંચે જાહેરાત કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ લોકસભાની ચૂંટણી જીતતા રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. જેની ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર કરવામાં આવ્યો. 18 જૂને રાજ્યસભાની ચૂંટણી માટે નોટીફીકેશન જાહેર થશે જ્યારે ફોર્મ ભરાવની અંતિમ તારીખ 25 જૂન છે. 28 જૂન ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ અને 5 જુલાઇના રોજ ચૂંટણી યોજાશે.  5 જુલાઇએ જ ચૂંટણીની મતગણતરી થશે. જો કે રાજ્યસભાની આ બંને બેઠકો પર ભાજપ જ કબ્જો કરશે તેવું લાગી રહ્યું છે. આ પેટાચૂંટણીમાં ધારાસભ્યો બે વાર મત આપી શકશે. બે પૈકી એક બેઠક પર ભાજપના ઉમેદવાર નક્કી જ છે. વિદેશ મંત્રી એસ.જયશંકર ગુજરાતની એક બેઠક પરથી ભાજપના ઉમેદવાર હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક જીતીને સાંસદ બન્યા તો સ્મૃતિ ઇરાની અમેઠી બેઠક જીતીને લોકસભાના સાંસદ બન્યા છે જેના કારણે ગુજરાતની 2 રાજ્યસભા બેઠકોની પેટાચૂંટણી જાહેર થઇ છે.  ગુજરાતની વિધાનસભાની હાલની સ્થિતિને જોતા ભાજપે એક બેઠક ગુમાવવી પડે તેમ છે ત્યારે ભાજપ પ્રમુખે જીતના કરેલા દાવાના કારણે રાજકારણ ગરમાયું છે. બીજી તરફ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂકેલા અલ્પેશ ઠાકોરે પણ દાવો કર્યો કે 15 થી વધુ ધારાસભ્યો કોંગ્રેસ છોડશે. જેના કારણે કોંગ્રેસ તૂટવાની અટકળો વધુ તેજ બની છે. જો કે કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો કે એક બેઠક કોંગ્રેસ જીતશે જ.


રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી 2 સીટ માટે એક સાથે ચૂંટણી યોજવાની કોંગ્રેસની માગણી 


કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં ઉપનેતા શૈલેષ પરમારે દાવો કર્યો છે કે ભાજપની તોડજોડની રાજનીતિ સફળ નહિ થાય અને બેમાંથી એક બેઠક કોંગ્રેસ મેળવશે. ભાજપને બંને બેઠકો જાળવી રાખવી હોય છે કુલ 120 મતોની જરૂર છે જ્યારે ભાજપ પાસે ફક્ત 99 ધારાસભ્યો છે તેવા સંજોગોમાં બીટીપી, એનસીપી અને એક અપક્ષ પણ ભાજપને ટેકો આપે તો પણ 13 વધુ કોંગ્રેસના ધારાસભ્યોની જરુર પડશે. આ સંજોગોમાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોનો સાથ મેળવવા તડજોડ કરશે. 


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...