Rajkot News : રાજકોટમાં દિલ્હી જેવી દુર્ઘટના બનતા અટકી હતી. હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં ચોમાસાની શરૂઆતમાં જ મોટી દુર્ઘટના ટળી છે. ટર્મિનલની બહારની સાઈડમાં પેસેન્જર પીકઅપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી હતી. ભારે વરસાદને કારણે કેનોપી તૂટી પડી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરસાદને કારણે તૂટી કેનોપી
રાજકોટ હીરાસર એરપોર્ટ પર મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માત મામલે એરપોર્ટ ડિરેક્ટર દિગંત બહોરાને ટેલિફોનિક માહિતી આપતા જણાવ્યું કે, વરસાદના કારણે પાણી ભરાવાથી કેનોપી તૂટી પડી હતી. દુર્ઘટના ટેમ્પરરી ટર્મિનલની બહાર બની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં એક પણ  વ્યક્તિને જાનહાની નથી થઈ.


વાદળ ફાટે તેવો વરસાદ ગુજરાતમાં આવશે, નવી સાયક્લોનિક સરક્યુલેશન એક્ટિવ


[[{"fid":"566594","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"rajkot_airport_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"rajkot_airport_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"rajkot_airport_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"rajkot_airport_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"rajkot_airport_zee2.jpg","title":"rajkot_airport_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


દિલ્હી એરપોર્ટ પર દુર્ઘટના
શુક્રવારે વહેલી સવારે ત્રણથી ચાર કલાકમાં અંદાજે ૯ ઈંચ વરસાદમાં સમગ્ર દિલ્હી જળબંબાકાર થઈ ગયું હતું. દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-૧ની છત તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે કેટલીક ફ્લાઈટ્સ રદ કરી દેવી પડી હતી તેમજ અનેક કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.


ભાજપ MLA યોગેશ પટેલે અધિકારીઓને તતડાવ્યા, કહ્યું-તમારા વર્તનથી શહેરમાં તોફાનો થશે