Gujarat IAS Deputation : ગુજરાતમાં એક તરફ 68 સનદી અધિકારીઓની ઘટ છે અને આ વર્ષે 12 થી વધુ અધિકારીઓ નિવૃત્ત થવાના છે ત્યારે રાજ્યમાંથી ડેપ્યુટેશન જવા માટે અડધો ડઝન અધિકારીઓ તૈયાર થયાં છે. ગુજરાતમાં મોટાપાયે અધિકારીઓની બદલીનો ધાણવો કૂટાય તેવી સંભાવના છે. સરકાર બજેટ બાદ ધીમેધીમે બદલીઓ કરી શકે છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી સરકારે એક્સટેન્શન માટેનો વિચાર પડતો મૂકી રોક લગાવી હતી, પરંતુ હવે ડેપ્યુટેશન તેમજ એમ્પેનલમેન્ટનો માર્ગ મોકળો બની ચૂક્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી-ગુજરાત અધિકારીઓની આપલે થશે 
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગનું કહેવું છે કે ડેપ્યુટેશન પર જેમના નામની ભલામણ આવી હતી તેમને દિલ્હી મોકલવા ગુજરાત સરકાર તૈયાર છે, પરંતુ ડેપ્યુટેશનનો સમય પૂર્ણ થતો હોય તેવા અધિકારીઓ ગુજરાત પાછા આવી જાય તે પછી બીજા ઓફિસરોને દિલ્હી મોકલવામાં આવનાર છે. આમ ડેપ્યુટેશનને પગલે ગુજરાતમાં અધિકારીઓની મોટી ખોટ સર્જાઈ રહે છે એ પણ વાસ્તવિકતા છે. હાલમાં એક એક આઈએએસ દંપતિ દિલ્હી જવા માટે લોબિંગ કરી રહ્યું છે. 


આ પણ વાંચો : 


ગુજરાતમાં નવા ડીજીપી કોણઃ સંજય શ્રીવાસ્તવ, કરવાલ, તોમર કે વિકાસ સહાય?


જામનગર એરપોર્ટ પર ફ્લાઈટમાં બોમ્બની વાત અફવા, શંકાસ્પદ ન મળતા 10 વાગે ટેકઓફ કરાશે


સરકાર ફરીથી ટુકડે ટુકડે બદલીઓ કરવા માગે છે
સરકારે તાજેતરમાં ૧૯૯૮ની બેચના ચાર ગુજરાત અધિકારીઓને સેક્રેટરીથી પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેના પ્રમોશન આપ્યાં છે, પરંતુ હવે બાકીની ૨૦૧૦ અને ૨૦૧૪ની બેચના અધિકારીઓને પ્રમોશન માટે રાહ જોવાની રહેશે. કેમ કે સરકાર હવે જ્યારે મોટાપાયે બદલીઓ કરે ત્યારપછી ખાલી પડેલી જગ્યાઓ અને નવી જગ્યાઓએ નિમણૂંક આપવા માટે પ્રમોશન આપવાના રહેશે. રાજ્ય સરકાર હાલ બજેટ સત્રમાં વ્યસ્ત છે અને વિભાગના અધિકારીઓએ બજેટની કામગીરી શરૂ કરી છે ત્યારે હાલ તુરત રાજ્યના વહીવટ તંત્રમાં મોટાપાયે બદલીઓ થવી સંભવ નથી. સચિવાલયના સૂત્રો જણાવે છે કે સરકાર ફરીથી ટુકડે ટુકડે બદલીઓ કરવા માગે છે. બ્યુરોક્રેસીમાં મોટા ફેરફાર બજેટ સત્ર પછી થવાના ચાન્સ છે.


આ પણ વાંચો : બોર્ડની પરીક્ષામાં ધરખમ ફેરફારો, હવે ઓછું રિઝલ્ટ આવશે તો સ્કૂલોનું હોમવર્ક વધી જશે