• મુખ્યમંત્રીની વાત પરથી સ્પષ્ટ દેખાય છે કે રેમડેસિવીર ઈન્જેક્શન અંગે તેમના અને સીઆર પાટીલ વચ્ચે કોઈ તાલમેલ નથી. જયાં ઈન્જેક્શનનો જથ્થો ખૂટી રહ્યો છે, ત્યાં ભાજપ અધ્યક્ષ કેવી રીતે ઈન્જેક્શન લાવ્યા અને કેવી રીતે રાહત દરે ઈન્જેક્શનની વહેંચી રહ્યા છે તેનાથી તેઓ અજાણ હોવાનું જણાવ્યું


અર્પણ કાયદાવાલા/અમદાવાદ :આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ધન્વંતરી રથનું લોકાર્પણ કરાયું છે. રાજ્ય મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા યોજના અમલમાં 22 જિલ્લામાં હયાત 34 રથમાં વધુ 20 રથ ઉમેરવામાં આવ્યા છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને સુરતમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ઉપલબ્ધ કરાવાયેલા રેમડેસિવીર ઈન્જેક્શન અંગે પૂછતા તેમણે કહ્યું હતું કે, 5000 ઈન્જેકશન (remdesivir injection) ની વ્યવસ્થા સીઆર પાટીલે કેવી રીતે કરી એ તેમને જ પૂછો. સરકારમાંથી એકપણ ઈન્જેકશન સીઆર કે ભાજપને નથી આપવામા આવ્યા. સરકાર કોઈપણ ખાનગી વ્યક્તિને સીધા ઈન્જેકશન નથી આપતી, અને આપવાની પણ નથી. સરકારે મંજૂરી આપેલી ખાનગી-સરકારી હોસ્પિટલને વ્યવસ્થા મુજબ ઈન્જેકશન આપવામા આવે છે. લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ મુજબ દરેક નિર્ણય કરવામાં આવે છે. 


નવરો પતિ કોરોનાગ્રસ્ત પત્ની પાસેથી કરી રહ્યો છે એક જ ડિમાન્ડ, સેક્સ...સેક્સ...સેક્સ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે લોકો માટે રેમડેસિવીર ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવાયા, તે અંગે સવાલ પૂછતા મુખ્યમંત્રીએ એવુ કહ્યુ કે, એ તો સીઆર ને ખબર, સીઆરને પૂછો. પરંતુ સીઆર પાટીલે પોતે સુરતની ચિંતા કરીને 5000 રેમડેસિવીરની કેવી રીતે વ્યવસ્થા કરી તે પૂછશો તો જવાબ મળશે. સરકારે અલગ વ્યવસ્થા કરી છે અને ભાજપે કરી તે અલગ છે. તેનો સરકારની વ્યવસ્થા સાથે કોઈ સંબંધ નથી. ટેન્ડરનો ભાવ અને ગુવાહાટીથી જે જથ્થો આવે છે તેના ભાવમાં ફેર છે. સરકાર ઉંચા ભાવે ખરીદી શકે તે મથી. અમે માટે એજન્સી તરીકે કિરણ હોસ્પિટલને મદદ કરી છે. એ હોસ્પિટલ કેવી રીતે અને
કોને આપે તેની સાથે સરકારને કંઈ લેવાદેવા નથી. સુરતને સતત ઈન્જેક્શનનો જથ્થો આપી રહ્યાં છે. કિરણ હોસ્પિટલને જે જથ્થો મળ્યો છે તે સરકારે આપેલો છે. 


ગુજરાતમાં મૃત્યુના આંકડા મામલે મુખ્યમંત્રીએ ખુલાસો તો કર્યો, પણ તે ગળે ઉતરે તેમ નથી


આમ, મુખ્યમંત્રીની વાત પરથી સ્પષ્ટ દેખાય છે કે રેમડેસિવીર ઈન્જેક્શન અંગે તેમના અને સીઆર પાટીલ વચ્ચે કોઈ તાલમેલ નથી. જયાં ઈન્જેક્શનનો જથ્થો ખૂટી રહ્યો છે, ત્યાં ભાજપ અધ્યક્ષ કેવી રીતે ઈન્જેક્શન લાવ્યા અને કેવી રીતે રાહત દરે ઈન્જેક્શનની વહેંચી રહ્યા છે તેનાથી તેઓ અજાણ હોવાનું જણાવ્યું. 


સુરતીઓ માટે રાહતના સમાચાર, સરકાર આપશે 10 હજાર રેમડેસિવીર ઈન્જેક્શન  


તેમણે કહ્યું કે, સરકાર કોરોના પર કન્ટ્રોલ લાવવા કટિબદ્ધ છે. ગયા નવેમ્બરમાં કોરોના પિક પર હતો, તો 1800 થી વધુ કેસ ન હતા. હમણાં 4500 થી વધુ કેસ આવી રહ્યા છે. 15000 થી વધુ બેડ વધાર્યા છે, 6700 થી વધુ ઓક્સિજન બેડ વધાર્યા છે. લોકોને વિન્નતી કરું છે, શક્ય બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળો. માસ્ક ફરજિયાત પહેરો. વર્તમાન પરિસ્થિતિની ગંભીરતા લોકો સમજે. સરકારને માસ્કનો દંડ ઉઘરાવવામાં કોઈ જ રસ નથી. માસ્ક પહેરો, કોઈ દંડ નહિ થાય. હાઇકોર્ટેના આદેશ બાદ માસ્ક મામલે કડક કાર્યવાહી કરવી પડી છે. રેમડેસીવીર ઈન્જેકશનની સતત માંગ છે. સરકાર પૂરો પુરવઠો આપી રહી છે. 3 લાખ નવા ઈન્જેકશનનો ઓર્ડર આપ્યો છે. પણ કોરોનાના દરેક દર્દીને ઈન્જેકશન લેવાની જરૂર નથી. તેનો સ્ટોક કરવો પણ યોગ્ય નથી. નિષ્ણાત તબીબોના માર્ગદર્શન મુજબ કામગીરી થઈ રહી છે. ટેસ્ટીંગ ઉપર પણ બ ભાર મૂક્યો છે. મહત્તમ ટેસ્ટીંગ ના કારણે જ આજે લોકો સંક્રમિત હોવાનું સામે આવી રહ્યું છે.