બ્રિજેશ દોશી/અમદાવાદ :સુરતના સીઆર પાટીલ (cr patil) આજે ગુજરાત ભાજપના 13મા પ્રદેશ અધ્યક્ષ બન્યા છે. કમલમ ખાતે વિધિવત રીતે તેઓને ગુજરાત ભાજપનો કાર્યભાળ સંભાળ્યો હતો. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાર્યકરોને સંબોધન કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે, ભાજપમાં અધ્યક્ષ પદ મહત્વનું છે. વિચારધારાનો સંઘર્ષ હમેંશા ગુજરાત ભાજપે કર્યો છે અને દેશને નવી દિશા આપી છે. નવનિર્માણના સમયથી પીએમ મોદી ગુડ ગવર્ન્સ ની દિશા આપી રહ્યા છે. રાષ્ટ્રીય નેતૃત્વએ સી.આર. પાટીલને જવાબદારી આપી છે. અનેક પડકારો આપણે ઝીલવાના છે.  પેટાચૂંટણી જિલ્લા પંચાયત તેમજ વિધાનસભાની પેટાચૂંટણીઓના પડકાર ઝીલવાના છે. એમાં પાછી પાની કરવાની નથી. દેશ ભરમાં ટુકડા ગેંગ છે. જે ભાજપની વિચારધારા કમિટમેન્ટ અને સપના સાકાર થઈ રહ્યા છે, આપણે આ લડાઈ લડવાની છે. કાર્યકર્તાઓને પ્રેરણા મળી રહે. પાર્ટીમાં વિશ્વાસ રહે. વિચાર ધારાની લાગણીઓ વધુ ધારદાર બને એ સંગઠનની જવાબદારી છે. આજે અનેક રાજ્યોમાં આપણી સરકાર છે. ગુજરાતમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગર પાલિકામાં આપણે સત્તા પર છીએ. ગુજરાત સંગઠન, વિકાસ તમામ સ્તરે નંબર વન છે. કોંગ્રેસ હારી ગઈ છે અને આપણે સતત આગળ વધીશું.


શુભ મુહૂર્તમાં સીઆર પાટીલે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનો ચાર્જ સંભાળ્યો 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો વધુમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, સરકારો જાય એનું દુઃખ નથી હોતું. પણ પાર્ટી ડૂબે એનું દુઃખ હોય છે. કોંગ્રેસનું સંગઠન નહોતું એટલે પાર્ટી ડૂબી. વંશ વાદ અને પરિવારવાદથી કોંગ્રેસ ડૂબી. ભાજપ સામાન્ય કાર્યકર્તાને તક આપે છે અને કાર્યકરોને જવાબદારી મળશે. સત્તાની ઉઠાપઠક અને લડાઈઓ ચાલશે. 


બેરોજગાર બનેલા અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને સરકાર પાસેથી આર્થિક સહાયની માગ કરી


તો સી.આર પાટીલે જણાવ્યું કે, હું 15 વર્ષ પોલીસમાં રહ્યો છે એટલે શિસ્ત પહેલેથી રહી છે. સંઘમાં એ વાત શીખ્યા કે તમે સક્ષમ છો એટલે તમને જવાબદારી મળે એવું નથી હોતું. તમને જવાબદારી મળે એ પુરી કરવા સક્ષમ બનવાનું હોય છે. એટલા માટે આપણે ત્યાં કોઈ પદ માટે લાઈનો લાગતી નથી. સૌથી મોટી મુશ્કેલી કોરોના ની બીમારી.આવી. પીએમ મોદીએ વહેલું લોકડાઉન કર્યું એટલે નુકસાન ઓછું થયું. નહીં તો ગલી ગલીમાં લાશો પડી હોત. આપણે ત્યાં ભલે લોકો વિરોધ કરે, પણ પાકિસ્તાની મીડિયા મોદી સરકારના પગલાંઓના વખાણ કરે છે. ગુજરાતમાં ભાજપની સરકાર એક મોડલ છે. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગુજરાત મોડલ એ કેન્દ્રમાં 2 વાર સત્તા અપાવી. ગુજરાત સંગઠન પર તમામ રાજ્ય સંગઠનોની નજર હોય છે. બિહાર, મધ્યપ્રદેશમાં પણ મેં કામ કર્યું છે. ગુજરાતનું સંગઠન મોડલ સમગ્ર દેશમાં વધુ છવાય તે પ્રાથમિકતા રહેશે. 


તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી બકવાસ નિવેદનો કરે છે એવું લાગે પણ એની લોકો પર નકારાત્મક અસર થાય છે. શાહીનબાગના કારણે લોકો પરેશાન થયા એટલે એમને થયું સરકાર કઈં કરતી નથી. આવી બાબતોનું ધ્યાન રાખવાનું છે. 197 મુદ્દાઓ છે એનું પાલન કરીશું તો સરકાર ક્યારેય નહીં ઉથલે. પીએમ મોદીની 400 થી વધુ લોક કલ્યાણ કારી યોજનાઓ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર