જયેશ દોશી, નર્મદા: ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાવવાને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ આજે રાજપીપળા ખાતે પહોંચેલા સીએમ વિજય રૂપાણીએ સમય કરતાં વહેલી ચૂંટણી યોજાવવાની હોવાની વાતને લઇને એક મોટું નિવેદન આપ્યું હતું અને તમામ અટકળોનો અંત આણ્યો હતો. રાજ્યના વહેલી ચૂંટણી અંગે CM ખુલાસો કર્યો હતો કે ચૂંટણી સમયસર જ યોજાશે. ઉત્તર પ્રદેશની ચૂંટણી સાથે રાજ્યને કોઇ લેવાદેવા નથી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SMA-1: 16 કરોડનું ફંડ ભેગું થાય તે પહેલાં વિવાન બિમારી સામે હારી ગયો, દુનિયાને કહ્યું અલવિદા


Vadodara: તબીબોની હડતાળના લીધે રક્ષાબંધન પહેલાં બહેને ગુમાવ્યો એકનો એક ભાઇ


તેમણે ડોક્ટોરોની હડતાળ અને કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વિશે પણ કહ્યું હતું. તેમણે કોંગ્રેસના વિરોધને પ્રદર્શનને લઇને કહ્યું હતું કે રાજ્ય સરકાર ઉજવણી કરે છે, કોંગ્રેસ વિરોધ કરે છે. આજે વિશ્વ આદિવાસી દિન નિમિતે કોંગ્રેસ આદિવાસીઓ વિરોધ કરે છે. કોંગ્રેસ ફક્ત મીડિયામાં દેખાય છે. ડોક્ટરોની હડતાળને લઇને તેમણે કહ્યું હતું કે અત્યારે કોરોનાના દર્દીઓ નથી. અત્યારે કોરોના નથી તો બોન્ડમાંથી મુક્તિ હોવી જોઇએ. કોરોના ન હોવાથી ડોક્ટરોએ નિયમોનું પાલન કરવું જોઇએ. તેમણે ડોક્ટરોને હડતાળ પાછી ખેંચવા માટે વિનંતી કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube