બનાસકાંઠા, અલ્કેશ રાવ: ગુજરાતમાં દારૂબંધી છે અને આ દારૂબંધીના કાયદાનો કડકપણે અમલ કરાવવાનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવનારા પોલીસકર્મીઓનું છે. પરંતુ જો આ જ પોલીસકર્મી પોતાની ફરજ ચૂકે તો શું? અમીરગઢ પોલીસમથકના કોન્સ્ટેબલે દારૂની ગાડી તો ઝડપી પરંતુ આ દારૂ બારોબાર વેચી માર્યો હોવાનો જાણવા મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ અમીરગઢ પોલીસ મથકના આ કોન્સ્ટેબલે દારૂની ગાડી ઝડપી. ગાડીમાંથી પકડાયેલો દારૂ બારોબાર વેચી માર્યો. પોલીસ કોન્સ્ટેબલનું નામ નરસિંહ નાગજી  છે અને તેમણે 16 પેટી દારૂ બારોબાર વેચી માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. એવું જાણવા મળ્યું છે કે પીએસઆઈની ગેરહાજરીમાં દારૂની ખેપ કરી રહેલી કારને તેમણે ઝડપી હતી. ત્યારબાદ પકડાયેલા દારૂને બારોબાર સગેવગે કરી નાખ્યો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube