ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 900 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 942 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 679 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.61 ટકા થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 6,537 એક્ટિવ કેસ છે. જેમાંથી 14 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6,523 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,37,664 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,970 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


'દીકરી અસુરક્ષિત': ફોટોશૂટનું કહી સગીરાને લઇ ગયો હોટલમાં, યુવકે પછી જે કર્યું તે જાણીને ચોંકી જશો


જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 321 કેસ સામે આવ્યા છે. વડોદરા કોર્પોરેશનમાં 98, મહેસાણામાં 54, બનાસકાંઠામાં 47, સુરત કોર્પોરેશનમાં 42, વડોદરામાં 42, સુરતમાં 41, રાજકોટ કોર્પોરેશનમાં 34, ગાંધીનગરમાં 32, અમરેલીમાં 23. ગાંધીનગર કોર્પોરેશનમાં 22, રાજકોટમાં 22, ભાવનગર કોર્પોરેશનમાં 19, નવસારીમાં 15, આણંદમાં 14, પાટણમાં 13, સાબરકાંઠામાં 13, ભરૂચમાં 12, પોરબંદરમાં 10, જામનગર કોર્પોરેશનમાં 9, અમદાવાદમાં 8, કચ્છમાં 8, મોરબીમાં 8, વલસાડમાં 8, ગીર સોમનાથમાં 4, સુરેન્દ્રનગરમાં 4, બોટાદમાં 3, ખેડામાં 3, પંચમહાલમાં 3, દેવભૂમિ દ્વારકામાં 2, જૂનાગઢ કોર્પોરેશનમાં 2, તાપીમાં 2, ભાવનગરમાં 1, દાહોદમાં 1, જામનગરમાં 1 અને મહીસાગરમાં 1 કેસ નોંધાયો છે.


ભાજપ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ધર્યા 1100 સામુહિક રાજીનામા, જાણો શું છે સમગ્ર મામલો


જો હવે ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 244 દર્દી સાજા થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 69, મહેસાણામાં 27, બનાસકાંઠામાં 15, સુરત કોર્પોરેશનમાં 43, સુરતમાં 38, રાજકોટ કોર્પોરેશનમાં 26, ગાંધીનગરમાં 39, અમરેલીમાં 17. ગાંધીનગર કોર્પોરેશનમાં 22, રાજકોટમાં 7, નવસારીમાં 12, આણંદમાં 8, પાટણમાં 29, સાબરકાંઠામાં 13, ભરૂચમાં 5, પોરબંદરમાં 2, જામનગર કોર્પોરેશનમાં 5, અમદાવાદમાં 5, કચ્છમાં 24, મોરબીમાં 5, વલસાડમાં 6, સુરેન્દ્રનગરમાં 6, બોટાદમાં 2, ખેડામાં 4, દેવભૂમિ દ્વારકામાં 5 અને અરવલ્લીમાં 2 દર્દીઓ સાજા થયા છે.


બટાકા નહીં મળે તો શું ખાશે લોકો? ખેડૂતોના આ નિર્ણયથી બજારમાં નહીં જોવા મળે બટાકા!


જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 3,63,900 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 2,126 ને રસીનો પ્રથમ અને 5,384 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 2139 ને રસીનો પ્રથમ અને 872 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 62,040 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 2,392 ને રસીનો પ્રથમ અને 1,669 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 2,87,278 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,65,72,256 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube